હવે ટામેટાની બેન ડુંગરી ઊંચામાં છે. જાણો ભાવ ડુંગરી બેન એ કેટલા ભાવ ખાધા

ખબરી ગુજરાત ગુજરાત

shivangee R Khabri media

ડુંગળીના ભાવમાં વધારોઃ આ દિવસોમાં રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં ડુંગળીની હાલત ટામેટાં જેવી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે નવરાત્રી અને શ્રાદ્ધ પછી ડુંગળીના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો 14 રૂપિયાનો વધારો થયો છે. પરંતુ હવે છૂટક બજારમાં ડુંગળીનો ભાવ 55થી 60 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. બીજી તરફ જથ્થાબંધ બજારમાં પણ છેલ્લા ચાર દિવસમાં કિલોદીઠ સાતથી આઠ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.

અગાઉ ચોમાસામાં ભારે વરસાદના પગલે ટમેટાના ભાવમાં તોતિંગ વધારા પછી હાલ ટમેટા રૂ 7થી 15ના કિલો લેખે જથ્થાબંધમાં વેચાઈ રહ્યા છે ત્યારે હવે રાજ્યમાં ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે. ક્યારેક સાવ પાણીના ભાવે વેચવી પડતા ખેડૂતોની આંખમાં અને ક્યારેક અતિ ઉંચા ભાવે વેચાતા ખરીદ્દારની આમ નાગરિકની આંખમાં પાણી લાવી દેતી ડુંગળીના ભાવમાં રાજકોટમાં માત્ર ચાર દિવસમાં 50 ટકાનો વધારો નોંધાયો છે.ગત તા. 20, 21ના રૂ 300થી 600માં પ્રતિ 20 કિલો લેખે યાર્ડમાં વેચાતી ડુંગળીના ભાવ તા. 23ના વધીને રૂ 300- 825, તા. 25ના રૂ 400થી 900 અને આજે રૂ 450-950એ પહોંચ્યા છે. હજુ 1000ને આંબે તેવી શક્યતા છે. યાર્ડના સૂત્રો અનુસાર નાસિકથી આવતી ડુંગળીની આવક બંધ થઈ છે અને હવામાનની અસર તળે ભાવ વધ્યાનું જણાય છે.

મહારાષ્ટ્રમાં ખરીફ પાકની ઉપજમાં ઘટાડો થયો છે. તેનું કારણ એ છે કે આ વર્ષે ઓછો વરસાદ થયો છે. બીજી તરફ એશિયાના સૌથી મોટા ડુંગળીના બજાર એવા મહારાષ્ટ્રના લાસલગાંવમાં ડુંગળીના જથ્થાબંધ ભાવ 15 દિવસ પહેલા પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,350 હતા. બુધવારે તે વધીને રૂ. 3,800 પ્રતિ ક્વિન્ટલ થયો હતો. તમને જણાવી દઈએ કે ડુંગળીની મોંઘવારી રોકવા માટે સરકારે ઓગસ્ટમાં તેની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી હતી.

ઓછી આવકને કારણે અસર દેખાય

READ: આજનો ઈતિહાસ: 27 ઓક્ટોબરે બનેલી મહત્વની ઘટનાઓ

છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા મોટા રાજ્યોમાંથી ડુંગળી એટલી મોટી માત્રામાં દિલ્હી આવી રહી નથી જેટલી નવરાત્રિ પહેલા આવતી હતી. વેપારીઓનું કહેવું છે કે મુંબઈ, ચેન્નાઈ જેવા મોટા મહાનગરોમાં ડુંગળીનો પુરવઠો વધ્યો છે. તેની અસર આ રાજ્યો પર પડી રહી છે જેના કારણે ડુંગળીના ભાવ વધી રહ્યા છે.

ભાવ ટૂંક સમયમાં ઘટશે બજારના જાણકારોનું કહેવું છે કે નવરાત્રીના અંત પછી દેશભરમાં ડુંગળીનો વપરાશ વધી જાય છે, જેટલો વપરાશ વધ્યો છે તેટલી માત્રામાં સપ્લાય શક્ય નથી, જેની અસર ભાવ પર જોવા મળી રહી છે. આગામી એકથી દોઢ સપ્તાહમાં ભાવ થોડા વધુ વધશે તેવો અંદાજ છે. ત્યાર બાદ નરમાઈ જોવા મળી શકે છે. કારણ કે ગુજરાત અને રાજસ્થાનમાંથી ડુંગળીનું આગમન શરૂ થઈ ગયું છે.