ગુજરાતના નગરોને ઈઝ ઓફ લિવિંગ માટે 10 કરોડની ફાળવણી

ખબરી ગુજરાત ગુજરાત

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે નગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવાના હેતુસર ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં 6 નગરો માટે રૂ. 10.77 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં અંધાપા કાંડને લઈ રાજ્ય સરકાર એક્શન મોડમાં

PIC – Social Media

રાજ્યના નગરો-મહાનગરોના આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસ અને જનસુવિધાના કામો માટે ગુજરાત રાજ્યની સ્થાપનાના સુવર્ણ જયંતિ વર્ષ 2010માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના એક ઘટક તરીકે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના 2010થી કાર્યરત છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ખાનગી સોસાયટી જનભાગીદારીની આ યોજના અન્વયે નગરપાલિકા, મહાનગરપાલિકાઓ તેમના વિસ્તારની ખાનગી સોસાયટીમાં રસ્તા, પેવરબ્લોક, પાણીની લાઈન, ગટરલાઈન, સ્ટ્રીટ લાઈન, રેઈન વોટર હાર્વેસ્ટિંગ તથા સોસાયટીઓમાં કોમન પ્લોટમાં પેવરબ્લોક નાખવાના કામો હાથ ધરી શકે છે.

આ માટે 70 ટકા ગ્રાન્ટ રાજ્ય સરકાર તરફથી, 20 ટકા જે-તે ખાનગી સોસાયટીનો ફાળો તેમજ 10 ટકા સ્થાનિક સંસ્થાનો ફાળો એમ ગ્રાન્ટ ફાળવણીથી કામો કરવામાં આવતા હોય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત રાજ્યની કલોલ નગરપાલિકાને આવા 64 કામો માટે રૂ. 3.17 કરોડ, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને 20 કામો માટે રૂ. 6.65 કરોડ સહિત પાટણમાં 11 કામો માટે રૂ. 61.95 લાખ, વિરમગામમાં બે કામો માટે રૂ. 21.64 લાખ તેમ જ જસદણમાં રૂ. 11.09 લાખ મળીને કુલ 109 કામો માટે સમગ્રતયા રૂ. 10.77 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગતની આ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 42,726 કામો માટે રૂ. 3692.42 કરોડની મંજૂરીઓ આપવામાં આવી છે. સીએમએ વધુ 109 કામો 6 નગરપાલિકાઓમાં મંજૂર કરીને રૂ. 10.77 કરોડની ફાળવણી કરવા સૈદ્ધાંતિક અનુમોદન આપતાં આ 6 નગરોમાં ખાનગી સોસાયટીઓનાં જનહિત કામો હાથ પર લઈ શકાશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

એટલું જ નહીં, નગરપાલિકા, મહાનગર પાલિકાઓને તેમના વિસ્તારમાં આવેલી ખાનગી સોસાયટીઓમાં આ યોજનાના કામો માટે અંદાજિત ખર્ચના 70 ટકાની સહાય રાજ્ય સરકાર દ્વારા અપાતી તેમાં પ્રત્યેક લાભાર્થી કુટુંબ દીઠ રૂ. 25 હજારની સહાય મર્યાદા નિર્ધારિત કરવામાં આવી હતી.