દિવાળી નજીક આવી રહી છે સાથે બજારોમાં રોનક પણ લાવી રહી છે. લોકો દ્વારા અનેક પ્રકારની ખરીદી પણ કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ફટાકડાને લગતા કેટલાક આદેશો પણ કર્યા છે.

Rajkot: રાજકોટમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે ફટાકડા, પોલીસ કમિશ્નરનો આદેશ

ખબરી ગુજરાત ગુજરાત

Dinesh Rathod, Gujarat, Khabri Media
Diwali 2023: દિવાળી નજીક આવી રહી છે સાથે બજારોમાં રોનક પણ લાવી રહી છે. લોકો દ્વારા અનેક પ્રકારની ખરીદી પણ કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ફટાકડાને લગતા કેટલાક આદેશો પણ કર્યા છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના આદેશ મુજબ સુપ્રિમ કોર્ટ દ્વારા પરવાનગી આપવામાં આવેલ ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ કરી શકશે. વિદેશી ફટાકડાની આયાત અને વેંચાણ કરી શકાશે નહીં.

તમામ ઇ-કોમર્સ વેબસાઇટ પર ઓનલાઇન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે. દિવાળી –દેવ દિવાળી તથા અન્ય તહેવાર દરમ્યાન રાત્રીના 8થી 10 કલાક સુધી ફટાકડા ફોડી શકાશે.

હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે Petroleum and Explosive Safety Organization (PESO) સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર ફોડવાના સ્થળથી 4મીટર સુધીમાં 125 db(A) અથવા 145 dB(c) પી.કે. થી ઓછો અવાજ પેદા કરે તેવા જ ફટાકડાનો વેચવા/ઉપયોગ કરવાનો રહેશે.

Petroleum and Explosive Safety Organtalon (PESO) દ્વારા એવા અધિકૃત માન્ય ફટાકડાના દરેક બૉકસ ઉપર Petroleum and Explosive Safety Organizaton (PESO) સુચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ કોર્ટ કચેરી, હોસ્પીટલ, શાળાઓ, કોલેજો – શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મીક સ્થળો, એરપોર્ટની નજીક 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા કોડી શકાશે નહી.

કોઇ પણ પ્રકારના સ્કાય લેન્ટન (ચાઇનીઝ તુકક્લ, આતશબાજી બલૂન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં તેમજ ઉડાવી શકાશે નહિ.

લોકોને અગવડ ઉભી ન થાય, કોઇ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રાજકોટ શહેરના બજારો, શેરીઓ, જાહેર, રસ્તાઓ, ધાર્મિક સ્થળો, પેટ્રોલ પંપ, સી.એન.જી. પંપ, એલ.પી.જી, બોટલિંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકની નજીક કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.

દિવાળીના તહેવાર દરમ્યાન પ્રદુષણનું પ્રમાણ વધે નહીં તે માટે માત્ર Petroleum and Explosive Safety Organization (PESO) સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા GREEN FIRE CRACKERSનો વેચાણ તથા ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો: AI Summit UK: ભારત અને યુરોપિયન યુનિયન સહિત 27 દેશોએ AIના જોખમો પર વ્યક્ત કરી સહમતી

ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકેલ છે. આ પ્રતિબંધોનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. દિવાળી સહિતના તહેવારો નિમિત્તે સમગ્ર રાજકોટ શહેરમાં ફટાકડાના ખરીદ, વેંચાણ તથા ઉપયોગ ઉપર તા. 25 નવેમ્બર સુધી પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે રાજકોટ શહેરમાં વિવિધ નિયંત્રણો મુક્યા છે.