મયંક અગ્રવાલની તબિયતને લઈ મોટો ખુલાસો, પોલીસ ફરિયાદ દાખલ

ખબરી ગુજરાત રમતગમત

Mayank Agarwal Health Update: ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલની તબિયત લથડ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે હાલ ક્રિકેટરની હાલત સ્થિર હોવાનું જણાવાય રહ્યું છે. પરંતુ મંયકની તબિયત અચાનક કેમ બગડી તેને લઈ મોટો ખુલાસો થયો છે.

આ પણ વાંચો : ગુજરાતી પ્લેયરને બહાર કરવો એ હતી સૌથી મોટી ભૂલ જાણો

PIC – Social Media

Mayank Agarwal Health Update: ક્રિકેટ જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલ વિરુદ્ધ મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે. તેનાથી તેનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મંગળવારે, કર્ણાટકના કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ, જે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર હતા, નવી દિલ્હી માટે ટેક ઓફ કરવા માટે તૈયાર પ્લેનમાં બીમાર પડતાં તેને અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. મયંકે કેટલાક ષડયંત્રનો આરોપ લગાવતા પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

શંકાસ્પદ પીણું પીધા બાદ તબિયત લથડી

અહેવાલ અનુસાર, મયંકે એક પાઉચમાંથી પાણી સમજીને કોઈ પીણું પીધું હતુ. આ પાઉચ ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં તેની સીટ પર રાખવામાં આવ્યું હતું. તે પીધા પછી તે બીમાર પડી ગયો હતો. તેના ગળામાં બળતરા થવા લાગી અને ઉલ્ટી શરૂ થઈ ગઈ. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત હવે સ્થિર છે અને તે જોખમથી બહાર છે. મયંકે તેના મેનેજર મારફત પોલીસમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મોઢામાં સોજો અને ચાંદા પડી ગયા

પશ્ચિમ ત્રિપુરાના પોલીસ અધિક્ષક કિરણ કુમારે સમાચાર એજન્સી પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે, મયંક અગ્રવાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી છે. હવે તેની હાલત સ્થિર છે, પરંતુ તેના મેનેજરે આ મામલે તપાસ કરવા NCCPS (ન્યુ કેપિટલ કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશન)માં ફરિયાદ નોંધાવી છે. તેના મેનેજરે કહ્યું છે કે જ્યારે તે પ્લેનમાં બેસી રહ્યો હતો ત્યારે તેની સામે એક પાઉચ રાખવામાં આવ્યું હતું. તેણે તેમાંથી થોડું પીધું, પરંતુ અચાનક તેનું મોં બળવા લાગ્યું અને તે બોલી શક્યો નહીં અને તેને ILS હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. તેના મોઢામાં સોજો અને ચાંદા પડી ગયા હતા. જો કે તેમની હાલત સ્થિર છે.

નોંધાવી પોલીસ ફરિયાદ

રાજ્યના આરોગ્ય સચિવ કિરણ ગિટ્ટેએ જણાવ્યું હતું કે, પોલીસે તેમની ફરિયાદ નોંધી લીધી છે અને અમે મામલાની તપાસ કરીશું. તેના મેનેજરના કહેવા પ્રમાણે, તે હવે બેંગલુરુ જશે અને તે દરમિયાન અમે તેને અગરતલામાં જે પણ સારી સારવાર ઉપલબ્ધ થશે તે પૂરી પાડીશું.

મેનેજર મનોજ કુમાર દેબનાથે ILS હોસ્પિટલ વતી એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું હતું કે ક્રિકેટરને મોઢામાં થોડી બળતરા થઈ હતી અને તેના હોઠ પર સોજો આવી ગયો હતો. હોસ્પિટલના તબીબો દ્વારા ઈમરજન્સી વિભાગમાં તપાસ કર્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તેમની હાલત સ્થિર છે અને તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.