ભારતની આ જગ્યાએ પ્રવેશ પર છે પ્રતિબંધ, જાણો શા માટે?

અજબ ગજબ ખબરી ગુજરાત

Barren Island : ભારતમાં એક એવી જગ્યા આવેલી છે કે જ્યાં પ્રવેશને લઈ લોકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારતમાં એક સક્રિય જ્વાળામુખી (Volcano) છે જેમાંથી સતત લાવા બહાર આવી રહ્યો છે. આ જ્વાળામુખી આખા દક્ષિણ એશિયાનો (South Asia) એકમાત્ર જ્વાળામુખી છે.

આ પણ વાંચો : ભારતમાં વિમાન સેવા ખાડે ગઈ, દર વર્ષે આટલી ફ્લાઇટ થાય છે રદ્દ

PIC – Social Media

Barren Island : ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં જવાની મનાઈ છે. હવે તમે વિચારતા હશો કે આપણા દેશમાં એક એવી કઈ જગ્યા છે જ્યાં કોઈ વ્યક્તિ જઈ શકતી નથી. આ સ્થળ આંદામાનની રાજધાની પોર્ટ બ્લેરથી (Port Blair) લગભગ 150 કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં છે. આજે અમે તમને જણાવીશું કે શા માટે ત્યાં જવાની મનાઈ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કઈ જગ્યાએ છે આ જ્વાળામુખી?

પોર્ટ બ્લેયરથી (Port Blair) લગભગ 150 કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં લગભગ ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં પથરાયેલ બેરન આઇલેન્ડમાં (Barren Island) આ જ્વાળામુખી આવેલો છે. આ જગ્યાની આસપાસ કોઈ હરિયાળી કે કોઈ વસ્તી નથી. અહીં કોઈ પ્રાણીઓ પણ નથી. આ જ કારણ છે કે આ ભાગનું નામ બેરોન એટલે કે બંજર રાખવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે જ્વાળામુખીનો પ્રથમ વિસ્ફોટ 1787માં થયો હતો. ત્યારથી જ્વાળામુખી (Volcano) દસથી વધુ વખત ફાટ્યો છે.

જ્વાળામુખીમાંથી સતત નીકળે છે ધુમાડો?

વર્ષ 1787માં આ જ્વાળામુખીમાંથી ધુમાડો અને લાવા નીકળતો જોવા મળ્યો હતો, ત્યારબાદ 11 વખત જ્વાળામુખી ફાટવાની ઘટના નોંધાઈ છે. આ સિવાય સમયાંતરે ધુમાડો નીકળતો રહે છે, એટલે કે તે સતત સક્રિય રહે છે. આ જ કારણ છે કે તેની આસપાસ ફરવા માટે ટાપુ જૂથના વન વિભાગની વિશેષ પરવાનગી લેવી પડે છે. લગભગ દોઢ સદીની નિષ્ક્રિયતા પછી, 1991 માં બીજો વિસ્ફોટ થયો, જે છ મહિના સુધી ચાલ્યો અને નોંધપાત્ર નુકસાન થયું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વૈજ્ઞાનિકોની ચેતવણી

મળતી માહિતી મુજબ આ જ્વાળામુખી સુનામી દરમિયાન પણ ધધકતો રહે છે. જેથી વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે પૃથ્વીની અંદર કોઈપણ પ્રકારની હિલચાલથી જ્વાળામુખી ફાટી નીકળે છે. આ જ્વાળામુખી છેલ્લે વર્ષ 2016માં ફાટ્યો હતો અને ઘણા દિવસો સુધી લાવા બહાર આવ્યો હતો. સ્કુબા ડાઇવિંગ શીખવા માટે સમગ્ર વિશ્વમાં બેરેન આઇલેન્ડની આસપાસનું પાણી ખૂબ જ સારું અને સલામત માનવામાં આવે છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા સેટેલાઇટ દ્વારા જ્વાળામુખી પર સતત નજર રાખે છે. તેનાથી પૃથ્વીની અંદરની હિલચાલને રેકોર્ડ કરવામાં પણ મદદ કરે છે.