પશ્ચિમ બંગાળમાં NIA ટીમ પર હુમલો, વાહનોના કાચ તોડ્યા

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Attack On NIA Team: પશ્ચિમ બંગાળના મિદનાપુરના ભૂપતિનગરમાં વિસ્ફોટ મામલે તપાસ કરવા પહોંચેલી એનઆઈએની ટીમ પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.

આ પણ વાંચો – ભારતની શાંતિ ભંગ કરનારને છોડીશુ નહિ : રાજનાથ સિંહ

PIC – Social Media

Attack On NIA Team: પૂર્વ મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં નેશનલ એન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અધિકારીઓ પર હુમલો થયાની જાણકારી સામે આવી છે. હાઇકોર્ટના નિર્દેશ મુજબ, ભૂપતિનગરમાં વિસ્ફોટ મામલે તપાસ કરવા ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈને પૂછપરછ માટે લઈ જતી વેળાએ કેન્દ્રીય એજન્સીના વાહનો પર હૂમલો કરવામાં આવ્યો હતો. એનઆઈએનો દાવો છે કે પૂછપરછ દરમિયાન તેઓને નિશાન બનાવામાં આવ્યાં હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પોલીસ સુત્રો અનુસાર, પોલીસ દ્વારા તેઓને સુરક્ષા મળે તે પહેલા જ એનઆઈએ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે કહ્યુ કે જો લેખિતમાં ફરિયાદ મળશે તો તપાસ કરીશુ. અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર, એનઆઈએની ટીમ શનિવારે સવારે તપાસ અર્થે પહોંચી ત્યારે તેઓને વિરોધીઓનો સામનો કરવો પડ્યો અને તેના પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો