Banaskantha : સુરત બાદ બનાસકાંઠામાં સામુહિક આપઘાત

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat

Banaskantha : અઠવાડિયા પહેલા સુરતમાં સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી હતી. જેમાં એક પરિવારના 7 લોકોએ આપઘાત કર્યો હતો. ત્યારે આજે બનાસકાંઠામાં એક જ પરિવારના 4 લોકોએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી જવા પામી છે. દાંતીવાડા ડેમમાં એક જ પરિવારના ચાર લોકોએ પડતું મુકી આત્મહત્યા કરતા સ્થાનિકો લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢ્યાં હતા.

આ પણ વાંચો : આજના દિવસે ભારતે લોન્ચ કર્યું હતું તેનું પ્રથમ Mission Mangalyaan, જાણો વિગતવાર

મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં એક જ પરિવારના ચાર લોકોએ પડતુ મુકી આત્મહત્યા કરી છે. બનાવની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યાં હતા અને ચારે મૃતદેહોને ડેમમાંથી બહાર કાઢ્યાં હતા. મૃતકોમાં સાસુ,વહુ, દીકરી અને દીકરાનો સમાવેશ થાય છે. તેમજ સ્થાનિક પોલીસે ઘટના સ્થળની મુલાકાતે આવીને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ તમામ મૃતદેહોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

પરિવાર પાલનપુરના નાની ભટામલ ગામનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જો કે મતક પરણિતાના ભાઈએ બનેવી અને બહેનના સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘર કંકાસના કારણે પત્ની, દીકરો, દીકરી અને સાસુએ આત્મહત્યા કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Israel-Hamas War: યુદ્ધને લઈ પ્રિયંકા ગાંધી ભડકી, કહ્યું…

ઉલ્લેખનીય છે, કે થોડા દિવસો પહેલા સુરતમાં એક પરિવારના 7 લોકોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતુ. ત્યારે બાદ બનાસકાંઠામાં એક જ પરિવારના સાસુ,વહુ, દીકરી અને દીકરાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.