Mission Mangalyaan: ભારતે 5 નવેમ્બર, 2013 ના રોજ અવકાશમાં તેનું પ્રથમ મંગળ મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. માર્સ ઓર્બિટર મિશન (MOM), મંગળ પરનું ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન, 05 નવેમ્બર 2013 ના રોજ PSLV-C25 પર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સાથે મંગળની ભ્રમણકક્ષામાં ઉપગ્રહને સફળતાપૂર્વક મોકલનાર ISRO ચોથી અવકાશ એજન્સી બની હતી.

આજના દિવસે ભારતે લોન્ચ કર્યું હતું તેનું પ્રથમ Mission Mangalyaan, જાણો વિગતવાર

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

Dinesh Rathod, Gujarat, Khabri Media
Mission Mangalyaan: ભારતે 5 નવેમ્બર, 2013 ના રોજ અવકાશમાં તેનું પ્રથમ મંગળ મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. માર્સ ઓર્બિટર મિશન (MOM), મંગળ પરનું ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન, 05 નવેમ્બર 2013 ના રોજ PSLV-C25 પર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સાથે મંગળની ભ્રમણકક્ષામાં ઉપગ્રહને સફળતાપૂર્વક મોકલનાર ISRO ચોથી અવકાશ એજન્સી બની હતી. જોકે ડિઝાઇન કરેલ મિશન લાઇફ 6 મહિનાની હતી, MOM એ 24 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ ભ્રમણકક્ષામાં 7 વર્ષ પૂર્ણ કર્યા હતા. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશ (ISRO)એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી તેના PSLV દ્વારા તેને લોન્ચ કર્યું હતું.

Mission Mars: 10 વર્ષ પહેલા, ભારતે તેનું મંગળ (Mars) મિશન મોકલીને સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કર્યું હતું. આ વિશ્વનું પ્રથમ મંગળ મિશન (Mission Mangal) હતું કે જે તેના પ્રથમ પ્રયાસમાં જ સફળ રહ્યું હતું.

સૌથી મહત્વની વાત એ હતી કે તેની કિંમતે દુનિયાના મોટા દેશોને ચોંકાવી દીધા હતા. આ મંગલયાનમાં ઘણી વૈજ્ઞાનિક સિદ્ધિઓ પણ હતી. ત્યારે જાણીએ કે અમે આ મિશનથી આપણને શું પ્રાપ્ત થયું હતું.

દુનિયાભરના દેશોને ઘણું શીખવ્યું

મંગલયાન (Magalyaan) એ અવકાશ સંશોધનમાં એક મોટી છલાંગ લગાવી, જેણે વિશ્વના ઘણા દેશોને આશ્ચર્યચકિત કર્યા. માર્સ ઓર્બિટર (Magalyaan) એ વિશ્વને ઘણા સંદેશા આપ્યા હતા, જેમાં ચીન પણ સામેલ હતું.

અત્યાર સુધી ચીન મંગળ પર કોઈ સફળ મિશન મોકલી શક્યું ન હતું. આ સાથે ભારતે વિશ્વને એ પણ સમજાવ્યું છે કે તે પોતાની આત્મનિર્ભર ટેક્નોલોજી દ્વારા અંતરિક્ષ ઉદ્યોગમાં વધુ આગળ વધી શકે છે.

પ્રથમ પ્રયાસમાં જ સફળ

મંગળ મિશન (Magalyaan) ભારત માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ હતી. આ મિશન પછી, ભારત એશિયા અને વિશ્વનો પહેલો દેશ બન્યો જેણે કે જેણે તેના પ્રથમ પ્રયાસમાં જ મંગળની ભ્રમણકક્ષા સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

મંગલયાન મિશનએ ભારતની અવકાશ એજન્સી ISROને વિશ્વની મુખ્ય અવકાશ એજન્સીઓમાં સ્થાન આપ્યું. લગભગ એક દાયકા પહેલા લોન્ચ કરાયેલ માર્સ ઓર્બિટર (મંગલયાન) છેલ્લા કેટલાક દિવસોથી સિગ્નલ મોકલવામાં સક્ષમ ન હતું.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ પોતે જ માહિતી આપી હતી કે આ મિશન પૂરું થઈ ગયું છે અને હવે પાછા નહીં આવી શકે. વાસ્તવમાં મંગળના વાહનનું ઈંધણ ખતમ થઈ ગયું હતું અને બેટરીઓ પણ બંધ થઈ ગઈ હતી, જેના કારણે તેને રીસ્ટાર્ટ કરવું ઘણું મુશ્કેલ હતું.

તેમ છતાં, આ અભિયાન એક એવું અભિયાન સાબિત થયું જેણે ભારતને અવકાશ ક્ષેત્રમાં મોટી ઉપલબ્ધિઓ આપી.

સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું

મંગલ યાન (Magalyaan)ને વિશ્વના ઘણા દેશો તરફથી પ્રશંસા મળી કારણ કે તે અત્યાર સુધીનું સૌથી સસ્તું અને સફળ મંગળ મિશન હતું. મંગલયાન અભિયાન ટીમને 2015માં અમેરિકન નેશનલ સ્પેસ સોસાયટી દ્વારા સ્પેસ પાયોનિયર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

ભારતના હરીફ દેશ ચીનના વિદેશ મંત્રાલયે પણ મંગલયાન મિશનને એશિયાનું ગૌરવ ગણાવ્યું હતું.

ભારત પોતાના પ્રથમ પ્રયાસમાં સફળ રહ્યું અને માત્ર 450 કરોડ રૂપિયાના ખર્ચે મંગળ પર પહોંચીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું. આનાથી સાબિત થયું કે ભારત અંતરિક્ષમાં લાંબા અંતરને કાપવા માટે વાહનો લોન્ચ કરવામાં પણ સક્ષમ છે.

આનાથી ISRO અને તેના વૈજ્ઞાનિકોને ભવિષ્યમાં વધુ મોટા અને લાંબા અંતરના મિશન પર કામ કરવા માટે પ્રેરણા મળી છે.

આ પણ વાંચો: જાણો, 05 નવેમ્બરનો ઈતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

અન્ય વૈજ્ઞાનિક સિદ્ધિઓ

મંગલયાન તેના ખાતામાં ઘણી મહત્વપૂર્ણ સિદ્ધિઓ નોંધાવી છે. મંગલયાન માટે, વૈજ્ઞાનિકો એસ-બેન્ડ રેડિયો સિગ્નલો દ્વારા સૌરચક્ર 24 ના પોસ્ટ-મેક્સિમા તબક્કા દરમિયાન સૌર કોરોના ગતિશીલતાને સમજવામાં સફળ રહ્યા હતા.

મંગળના ધૂળના વાવાઝોડા દરમિયાન મંગળના વાતાવરણમાંથી નીકળતા વાયુઓનો પણ અભ્યાસ કરી શકાશે.

આ સિવાય મંગળના વાતાવરણના એક્સોસ્ફિયરમાં અત્યંત ગરમ આર્ગોન ગેસ મળી આવ્યો હતો. એવું પણ જાણવા મળ્યું હતું કે મંગળના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ 270 કિલોમીટરની ઊંચાઈએ કાર્બન ડાયોક્સાઈડ કરતાં વધુ છે. વિજ્ઞાનીઓએ મંગળયાન તેના વલયાકાર ભ્રમણ માર્ગના આધારે લઈ શકે તેવા ફોટોગ્રાફ્સના આધારે મંગળનો નકશો તૈયાર કર્યો હતો.