મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસ : સુપ્રીમ કોર્ટનો મુસ્લિમ પક્ષને ઝટકો

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Mathura Srikrishna Janmabhoomi case : મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ કેસમાં મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે…

આ પણ વાંચો : જો તમારી પાસે SAMSUNGનો આ સ્માર્ટફોન હોય તો સાવધાન…

PIC – Social Media

મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ કેસમાં મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે, જેમાં કેમ્પસના સર્વેને મંજૂરી આપવામાં આવી હતી અને કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી. ઇદગાહ કમિટીએ કોર્ટ કમિશનરની નિમણૂકના મામલે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ પર સ્ટે મૂકવાની માંગ કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે કોઈપણ રીતે દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સુપ્રીમ કોર્ટે ઈદગાહ કમિટિ દ્વારા રજૂ કરવામાં આવેલી મુસ્લિમ પક્ષકારોની અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે આ મામલે અત્યારે કોઈ આદેશ આપશે નહીં. સુપ્રીમ કોર્ટે કોઈપણ રીતે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે વિવાદિત જગ્યાના સર્વેનો આદેશ આપ્યો હતો. આ માટે ત્રણ કમિશનરની પણ નિમણૂક કરવામાં આવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

શ્રી કૃષ્ણ વિરાજમાન વતી આ અંગે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આવેદનમાં એડવોકેટ કમિશનર દ્વારા સર્વે કરાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીની સુનાવણી બાદ જસ્ટિસ મયંક કુમાર જૈને 16 નવેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હાઇકોર્ટમાં અરજી પર શ્રી કૃષ્ણ વિરાજમાન વતી એડવોકેટ વિષ્ણુ શંકર જૈને દલીલો કરી હતી.