1 December : જાણો, આજનો ઈતિહાસ

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

1 December History : દેશ અને દુનિયામાં 1 ડિસેમ્બરનો દિવસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે. ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ઐતિહાસિક ઘટનાઓ પૂછવામાં આવે છે. તેથી આપણે 1 ડિસેમ્બર ( 1 Decmber History in Gujarati)નો ઇતિહાસ જાણીશું.

આ પણ વાંચો : Exit Poll : કોંગ્રેસ કે ભાજપ, ક્યા રાજ્યમાં કોની સરકાર?

1 ડિસેમ્બરનો ઈતિહાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે 1965માં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની સ્થાપના થઈ હતી. આ દિવસે 1959 માં, પૃથ્વીનો અવકાશમાંથી પ્રથમ કલર ફોટો લેવામાં આવ્યો હતો. નાગાલેન્ડ 1 ડિસેમ્બર 1963ના રોજ ભારતનું 16મું રાજ્ય બન્યું.

1 ડિસેમ્બરનો ઈતિહાસ (1 December History) આ મુજબ છે.

2006 : આ દિવસે નેપાળે નવા રાષ્ટ્રગીતને મંજૂરી આપી હતી.
2002 : 1 ડિસેમ્બરના રોજ, ઓસ્ટ્રેલિયાએ સતત આઠમી વખત ઇંગ્લેન્ડ સામે એશિઝ ટેસ્ટ શ્રેણી જીતી હતી.
2001 : આ દિવસે અફઘાનિસ્તાનના કંદહાર એર પોર્ટ પર તાલિબાન વિરોધી બળવાખોરો દ્વારા કબજો કરવામાં આવ્યો હતો.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
2000 : 1 ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તાલિબાન પર શસ્ત્ર પ્રતિબંધને સમર્થન આપ્યું હતું.
1991 : આ દિવસે એઇડ્સ જાગૃતિ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
1976 : જનરલ ઝિયાઉર રહેમાને પોતાને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ જાહેર કર્યા.
1976 : આ દિવસે, અંગોલા સંયુક્ત રાષ્ટ્રનું સભ્ય બન્યું.
1965 : બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની સ્થાપના કરવામાં આવી હતી.
1963 : નાગાલેન્ડ ભારતનું 16મું રાજ્ય બન્યું હતું.
1959 : પૃથ્વીનો અવકાશમાંથી પ્રથમ કલર ફોટો લેવામાં આવ્યો હતો.
1933 : કોલકાતા અને ઢાકા વચ્ચે હવાઈ સેવા શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સિરપ કાંડ : 5 લોકોના મોત બાદ વધુ એકની તબિયત લથડી
1954 : પ્રખ્યાત સામાજિક કાર્યકર મેધા પાટકરનો જન્મ થયો હતો.
1931 : પ્રખ્યાત ભારતીય ડૉક્ટર ગુરુકુમાર બાલચંદ્ર પારુલકરનો જન્મ થયો હતો.
1924 : પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સૈનિક મેજર શૈતાન સિંહનો જન્મ થયો હતો.
1903 : ભારતના પ્રખ્યાત ક્રાંતિકારીઓમાંના એક અનંતા સિંહનો થયો હતો.
2015 : અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી જિમ લોસ્કટૉફનું અવસાન થયું.
1990 : ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના બહેન અને મહિલા સ્વતંત્રતા સેનાની વિજયાલક્ષ્મી પંડિતનું અવસાન થયું.
1974 : મહિલા ભારતીય સ્વતંત્રતા સેનાની અને રાજકારણી સુચેતા કૃપાલાનીનું અવસાન થયું હતું.