Vastu Tips : આ ભૂલથી ઘરમાં આવે છે દરિદ્રતા, જલ્દી કરો આ ઉપાય

ખબરી ગુજરાત ધર્મ

Vastu Tips : જો તમે એવા લોકોમાંથી હોવ કે જેઓ પૈસા તો કમાય છે પણ ગરીબી જતી નથી. બધું હોવા છતાં પણ તમને જીવનમાં પ્રગતિ નથી મળી રહી, તો કેટલાક વાસ્તુદોષ તેનું કારણ બની શકે છે, તો ચાલો અમે તમને આવા કેટલાક વાસ્તુદોષ વિશે જણાવીએ. જો તમે અજાણતા આ ભૂલો કરી રહ્યાં છો તો તેને તરત જ સુધારી લેવી જોઈએ.

આ પણ વાંચો : ૧૨ રાશિની સૌથી સટીક ભવિષ્યવાણી

PIC – Social Media

જો તમે તમારા ઘરમાં વાસ્તુને લગતી કેટલીક ભૂલો કરી રહ્યા છો, તો તેનાથી તમને ઘણી સમસ્યા થઈ શકે છે. તમે દેવામાં ડૂબી શકો છો અને તમારા ઘરમાં ગરીબી આવી શકે છે. તેથી, તમારે તરત જ નીચે આપેલ વાસ્તુ ટિપ્સ અપનાવવી જોઈએ.

ઘરના મુખ્ય દરવાજા સામે અંધારુ

જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો તે ખૂબ જ અશુભ છે. તમને જણાવી દઈએ કે જો ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો જે કાર્ય કરવામાં આવે છે તેમાં વિઘ્ન આવે છે અને તેના કારણે ઘણી મહેનત કર્યા પછી પણ તમે ઘણા કાર્યોમાં સફળતા મેળવી શકતા નથી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

તુટેલી છબીઓ ઘરમાં ના રાખવી જોઈએ

તમે એ પણ સાંભળ્યું હશે કે ઘરમાં તૂટેલી તસવીરો ન રાખવી જોઈએ, કારણ કે તેનાથી પારિવારિક સંબંધો ખરાબ થાય છે. જેના કારણે વિવાદ થવાની સંભાવના છે. તેથી, જો તમારા ઘરમાં તૂટેલી તસવીરો હોય, તો તેને તરત જ દૂર કરો.

ઘરમાં વસ્તુઓ વ્યવસ્થિત રાખો

જો તમે તમારા કપડાં, ચપ્પલ, સેન્ડલ વગેરેને વ્યવસ્થિત રાખ્યા વિના ઘરમાં અહીં-ત્યાં ફેંકી દો છો તો તે ખૂબ જ ખોટું છે કારણ કે આમ કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ નારાજ થાય છે. જેના કારણે તમારા ઘરમાં પૈસાની તંગી આવી શકે છે.

દરવાજા અને બારીઓ ખુલી ના રાખો

ઘરના દરવાજા અને બારીઓ ક્યારેય સંપૂર્ણ ખુલ્લી ન રાખો. તમને જણાવી દઈએ કે આવું કરવાથી ઘરમાં ઝઘડા અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ શકે છે.

પાણીનો બગાડ ના કરો

ઘણા લોકોને ટેવ હોય છે કે નળ ખુલ્લો છોડીને પાણી વહેવા દે. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તે અશુભ છે. આ કારણે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે માનસિક રીતે પણ નબળા પડી શકો છો.

રાતના સમયે આ વસ્તુનો ઉપયોગ ના કરો

વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે પરફ્યુમ જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તીવ્ર સુગંધ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ચામાચિડીયાનો નિવાસ અશુભ

જો તમારા ઘરમાં ચામાચીડિયાનો નિવાસ હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને અશુભ માનવામાં આવે છે અને તેના કારણે તમારા ઘરમાં વાસ્તુ દોષ હંમેશા રહે છે. તેથી, તમારે એવા પગલાં લેવા જોઈએ કે જેથી ચામાચીડિયા જેવા પક્ષીઓ ઘરમાં ન આવી શકે.

દરવાજા સામે ચુલો ના રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં રસોડાના દરવાજા સામે ચુલો રાખવામાં આવે તો આ પણ વાસ્તુ દોષ છે. તેને અશુભ માનવામાં આવે છે.

આ દિશામાં બાથરૂમ ના હોવું જોઈએ

વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારું બાથરૂમ ક્યારેય રસોડાની સામે કે તેની બાજુમાં અને દક્ષિણ, દક્ષિણ-પૂર્વ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન હોવું જોઈએ.

નોટ – લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. કોઈપણ ઉપાય કરતા પહેલા નિષ્ણાંત વ્યક્તિની સલહા અવશ્ય લો.