સિદ્ધપુરના માતૃગયામાં તર્પણ વિધિ માટે કરાઈ ખાસ વ્યવસ્થા

ખબરી ગુજરાત ધર્મ

Matrugaya Tirthadham : દેશના એકમાત્ર માતૃગયા તીર્થ (Matrugaya Tirtha) તરીકે પ્રખ્યાત ગુજરાતના સિદ્ધપુર ખાતે હવે શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ માટે ઑનલાઇન બુકિંગ કરાવી શકાશે. શ્રદ્ધાળુઓ માટે ઑનલાઇન બુકિંગની આ સુવિધા આગામી 1 ફેબ્રુઆરી, 2024થી પ્રારંભ થશે.

આ પણ વાંચો : આદિકાળથી સંસ્કૃતિનું ઊર્જાકેન્દ્ર છે જૂનાગઢ-ગિરનાર

PIC – Social Media

Matrugaya Tirthadham : ગુજરાતના પાટણના સિદ્ધપુર (Siddhapur) ખાતે આવેલું એકમાત્ર માતૃગયા તીર્થ (Matrugaya Tirtha) ખાતે દેશના ખુણેખુણેથી શ્રદ્ધાળુઓ માતૃગયા શ્રાદ્ધ માટે આવતા હોય છે. ખાસ કરીને કારતક સુદ અગિયારસથી પુનમ સુધીના વિશ્વપંચક પર્વ સમયે લાખો શ્રદ્ધાળુઓ સિદ્ધપુર ખાતે સ્નાન, દાન અને પિંડ પ્રદાન કરી માતૃ-પિતૃઓને સંતોષવાનો આનંદ અનુભવે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

શ્રાદ્ધ અને તર્પણ વિધિ માટે ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા

સિદ્ધપુરના મહત્વના માતૃગયા તીર્થને ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અત્યંત સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે અને શ્રાદ્ધ વિધિ માટે આવનાર દેશભરના શ્રદ્ધાળુઓ માટે શ્રાદ્ધ વિધિમાં સરળતા રહે અને કોઈ અગવડતા ન પડે; તે માટે બોર્ડ દ્વારા “ઑનલાઇન ક્યૂ મૅનેજમેંટ સિસ્ટમ” પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.

1 ફેબ્રુઆરીથી પોર્ટલ થશે કાર્યરત

આ પોર્ટલ 1 ફેબ્રુઆરી, 2024થી કાર્યરત બનશે. બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે શ્રાદ્ધ વિધિ કરાવવા ઇચ્છતા તમામ શ્રદ્ધાળુઓએ વેબસાઈટ :https://yatradham.gujarat.gov.in અથવા એન્ડ્રૉઇડ એપ્લિકેશન: Yatradham Of Gujarat (YOG) મારફતે અથવા સ્થળ પર જ રજિસ્ટ્રેશન ઓફિસ ખાતે Offline રજિસ્ટ્રેશન કરાવી “ટોકન ફી” POS Machine મારફતે 100 ટકા ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે. ત્યાર બાદ પૂજા વિધિનો લાભ સરળતાથી મળી શકશે. આ પોર્ટલ પર સ્પેશિયલ હૉલ રજીસ્ટ્રેશન, એક પરિવાર દીઠ રજિસ્ટ્રેશન, સ્થાનિક નાગરિકો માટે દર્શન સુવિધા, સ્થાનિક નાગરિકોને શ્રાદ્ધ વિધિ કરવા જેવી મહત્વની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

દેશના કોઈપણ ખૂણેથી શ્રદ્ધાળુ કરાવી શકશે નોંધણી

દેશભરમાંથી શ્રાદ્ધ વિધિ કરવા ઇચ્છતી કોઈ પણ વ્યક્તિ આ પોર્ટલ (Online Portal) ઉપર પોતાના સ્વજનની શ્રાદ્ધ વિધિની અરજી ઑનલાઇન રજિસ્ટર કરાવી શકશે તથા રજિસ્ટ્રેશન નંબર પણ મેળવી શકશે. બિંદુ સરોવર ખાતે કઈ તારીખે, કેટલા સમયે અને કયા સ્પૉટ ઉપર તેની વિધિ કરવામાં આવશે; તે પણ પોર્ટલ પર નિયત થઇ શકશે. રજિસ્ટ્રેશન ફી પણ ઑનલાઈન POS મશીન મારફતે 100% ડિજિટલ ચૂકતે કરી શકાશે.

આ પણ વાંચો : ભારતની સ્વતંત્રતાથી લઈને ‘સ્વતંત્ર જુનાગઢ’ સુધીની કહાની

નોંધનીય છે કે સિદ્ધપુર ખાતેના બિંદુ સરોવરનું રાજ્ય સરકારે અંદાજીત રૂ. 70 કરોડના ખર્ચે પુન:નિર્માણ કર્યું છે અને રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાલમાં સરસ રીતે તેની નિભાવણી અને જાળવણી થઇ રહી છે. સિદ્ધપુર યાત્રાધામ તરીકે વિકાસ પામે અને આવનારા 25 વર્ષ સુધીની યાત્રાધામને અનુરૂપ જરૂરિયાત અને વ્યવસ્થાઓને અપગ્રેડેશન કરવા માટે સિદ્ધપુર તીર્થક્ષેત્રનું રૂ. 33 કરોડના ખર્ચે માસ્ટર પ્લાનિંગ પણ હાથ ધરવામાં આવી રહેલ છે. તેનાથી સિદ્ધપુર શહેર તથા તાલુકા ક્ષેત્રમાં આવેલા તીર્થસ્થળોનો વિકાસ થશે અને યાત્રાળુઓની સુવિધામાં પણ વધારો થશે.