જાણો, ઓનલાઇન ગેમિંગને લઈ ભારતમાં શું છે નિયમો? થઈ શકે છે જેલ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Online Gaming Norms in India: આજે 22 માર્ચથી આઇપીએલ 2024 શરૂ થઈ રહી છે. દુનિયાના સૌથી લોકપ્રિય ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા સરકારે સોશિયલ મીડિયા ઇન્ફ્યુએન્સર્સને કોઈ પણ પ્રકારના જુગાર કે સટ્ટાબાજીવાળા ઓનલાઇન ગેમનો પ્રયાર ન કરવા સુચન કર્યુ છે. આવો જાણીએ ભારતમાં ઓનલાઇન ગેમિંગના નવા નિયમો વિશે.

આ પણ વાંચો – IPL 2024માંથી અત્યાર સુધીમાં 13 ખેલાડીઓ બાહર

PIC – Social Media

Online Gaming Norms in India: કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા ઇન્ફ્યુએન્સર્સ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં તેમને કોઈપણ પ્રકારના સટ્ટાબાજી કે જુગારની રમતને પ્રોત્સાહન ન આપવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે તેની એડવાઈઝરીમાં કહ્યું છે કે આ રીતે સટ્ટાબાજી અને જુગારની રમતને પ્રોત્સાહન આપવાથી યુવાનો પર સામાજિક અને નાણાકીય આડઅસર થઈ શકે છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોશિયલ મીડિયા ઇન્ફ્યુએન્સર્સને અને સેલિબ્રિટીઓને ચેતવણી આપી છે કે જો તેઓ જુગાર અને સટ્ટાબાજીની રમતને પ્રોત્સાહન આપતા જોવા મળશે તો તેમની સામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાની સાથે તેને જેલની સજા પણ થઈ શકે છે.

ગયા વર્ષે, સરકારે ભારતમાં ઓનલાઈન ગેમિંગને લઈને કેટલાક નિયમો જાહેર કર્યા હતા, જેમાં જુગાર અને સટ્ટાબાજી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નવા આઈટી એક્ટ 2021માં ઓનલાઈન ગેમિંગ સંબંધિત નિયમો ઉમેરવામાં આવ્યા છે. ગયા વર્ષે, સરકારે ઓનલાઈન ગેમિંગ સેક્ટરને નિયંત્રિત કરવા માટેના નિયમો જાહેર કર્યા હતા, જેમાં ઓનલાઈન ગેમ્સ રમતી વખતે જુગાર અને સટ્ટાબાજીમાં કોઈપણ પ્રકારના વાસ્તવિક નાણાંનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. શું તમે જાણો છો કે ભારતમાં ઓનલાઈન ગેમિંગને લઈને કયા નિયમો બનાવવામાં આવ્યા છે?

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

ઑનલાઇન ગેમિંગના નવા નિયમો

ગયા વર્ષે, એપ્રિલ 2023 માં, કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગને લઈને નવા નિયમો જાહેર કર્યા હતા, જેનો ઉદ્દેશ કોઈપણ ઓનલાઈન ગેમમાં સટ્ટાબાજી અને જુગારના પ્રચારને રોકવાનો હતો. ઓનલાઈન ગેમ્સ દરમિયાન સટ્ટાબાજી અને જુગારને રોકવા માટે સરકારે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન (SRO)નું માળખું તૈયાર કર્યું હતું. કેન્દ્રીય IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે અમે એક એવા ફ્રેમવર્ક પર કામ કરી રહ્યા છીએ જે ઓનલાઈન ગેમને મંજૂરી આપવા કે ન આપવાનું કામ કરશે. આવી સ્થિતિમાં, ઘણા SRO ની રચના થઈ શકે છે.

ભારતમાં એવી ઓનલાઈન રમતો રમવાની મંજૂરી છે જેમાં કોઈપણ પ્રકારનો જુગાર કે સટ્ટાબાજીનો સમાવેશ થતો નથી.
ભારતમાં એવી ઓનલાઇન ગેમ રમી શકાય છે, જેની સામગ્રી બાળકોમાં કોઈપણ પ્રકારના વ્યસનને પ્રોત્સાહન આપતી નથી અને ખેલાડીઓને નુકસાન કરતી નથી.
ઓનલાઈન ગેમ્સનું નિયમન SROs દ્વારા કરવામાં આવશે, જેમાં ઉદ્યોગ, ગેમર્સ અને અન્ય હિતધારકોનો સમાવેશ થશે. તે સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવશે નહીં.
નવા નિયમો અનુસાર, SROs એ યુઝર્સની સુરક્ષા અને ગેમિંગની લતને લઈને ઓનલાઈન ગેમિંગ વેબસાઈટ પર નાણાકીય જોખમો અને છેતરપિંડી વિશે ચેતવણીઓ પ્રકાશિત કરવી પડશે.
કઈ ગેમ પર કેટલા પૈસા ખર્ચી શકાય તેની મર્યાદા યુઝર દ્વારા નક્કી કરવામાં આવશે. આ નિયમનકારી માળખામાં ખર્ચની મર્યાદા સુધી પહોંચતા પહેલા વારંવારના અંતરાલે વપરાશકર્તાને ચેતવણી સંદેશ મોકલવાની જોગવાઈ છે.
ઓનલાઈન ગેમ્સમાં કે જેમાં વાસ્તવિક પૈસાનો ઉપયોગ કરવામાં આવશે, KYCના ધોરણોનું પણ પાલન કરવું પડશે. તેનો અર્થ એ કે વપરાશકર્તા અથવા ગેમર માટે KYC વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

SRO માં કોણ જોડાઈ શકે છે?

ઓનલાઈન ગેમિંગનું નિયમન કરતા SROમાં એક શિક્ષણશાસ્ત્રી, મનોવિજ્ઞાન અથવા માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રના એક નિષ્ણાત અને બાળ અધિકાર સંરક્ષણ સંસ્થામાંથી એક સભ્ય હોવો જોઈએ. નવા ઓનલાઈન ગેમિંગ નિયમો અનુસાર, SRO એટલે કે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન નક્કી કરશે કે કોઈ પણ ઓનલાઈન ગેમમાં વાસ્તવિક પૈસાનો ઉપયોગ ત્યાં સુધી થઈ શકે છે જ્યાં સુધી તેનો ઉપયોગ જુગાર કે સટ્ટાબાજી માટે ન થઈ રહ્યો હોય. જો કોઈપણ SRO નિયમોનું ઉલ્લંઘન કરતુ જોવા મળશે, તો તેને ડિનોટિફાઈ કરવામાં આવશે.