અમદાવાદમાં IPS અધિકારીના પત્નીએ જીવન ટૂંકાવ્યું

ખબરી ગુજરાત ગુજરાત

IPS Wife Suicide Case : અમદાવાદ (Ahmedabad)માં આઈપીએસ (IPS) અધિકારીની પત્ની (Wife)એ આપઘાત (Suicide) કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આઈપીએસ રાજન સુશ્રાની પત્નીએ થલતેજના શાંગ્રીલા બંગ્ઝોલમાં આપઘાત (Suicide) કર્યો છે. આઈપીએસની પત્નીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જોકે આપઘાત પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી.

આ પણ જુઓ : બેડરૂમમાં આ વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે

PIC – Social Media

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

આ અંગે મળતી માહિતી અનુસાર રાજન સુશ્રા વલસાડ મરીન સિક્યુરિટીમાં એસપી તરીકે ફરજ બજાવે છે. તેઓ થલતેજ વિસ્તારમાં રહે છે. સુશ્રાની પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાપસ હાથ ધરી છે. જો કે આપીએસ અધિકારીની પત્નીએ શા માટે આપઘાત કર્યો તે પાછળનું કારણ હજુ અકબંધ છે. આ બનાવને પગલે સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : 1 December : જાણો, આજનો ઈતિહાસ

આપીએસના પત્નીએ આપઘાત કર્યો હોવાની જાણ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ થતા તરત જ સ્થાનિક પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ તો આઈપીએસના મૃતક પત્ની શાલુબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તેમજ આઈપીએસ અધિકારી રાજનની પૂછપરછ માટે કાર્યવાહી હાથ ધરી છે.