ICC ની આ નિર્ણય સાંભળી ને ક્રિકેટ ફેનના દિલ તૂટી જશે

ખબરી ગુજરાત રમતગમત

આઈસીસીએ હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલમાં ઉપયોગમાં લેવાતી પીચ પર નિર્ણય લીધો છે. પીચને લઈને આઈસીસીએ કહ્યું છે કે તે ખૂબ જ એવરેજ પિચ છે. આ સાથે વર્લ્ડ કપ ફાઈનલમાં પિચને લઈને ચાલી રહેલી અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ICCનો આ નિર્ણય ભારતીય પ્રશંસકોના દિલ તોડી નાખશે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચને એવરેજ રેટિંગ આપ્યા છે જેના આધારે 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી. ICC મેચ રેફરી અને ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ બેટ્સમેન એન્ડી પાયક્રોફ્ટે જો કે મેદાનની આઉટફિલ્ડને સારી કહી હતી.

ICC એ પીચ પર પોતાનો નિર્ણય જાહેર કર્યો ICCએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે જે પીચ પર ફાઈનલ રમાઈ હતી તે ખૂબ જ ધીમી હતી, ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને છ વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ નિર્ધારિત 50 ઓવરમાં માત્ર 240 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં ટાર્ગેટ અચિવ કર્યો હતો, જેના માટે ઓપનર ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રનની શાનદાર ઇનિંગ હતી.

આ પણ વાંચો : હવે ધાર્મિક ગ્રંથનું અપમાન કરનારની ખેર નહી, અહીં બન્યો કાયદો

વાનખેડે સ્ટેડિયમની પીચને સારી રેટિંગ આપવામાં આવી
વાનખેડે સ્ટેડિયમની પીચ કે જેના પર ભારત સેમી ફાઈનલમાં ન્યુઝીલેન્ડનો સામનો કર્યો હતો તેને ICC દ્વારા સારી રેટિંગ અપાયું છે. જો કે આ મેચ પહેલા મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભારતે પીચ બદલાવી હતી અને આ મેચ નવી પીચને બદલે પહેલા વપરાયેલી પીચ પર રમવામાં આવી.

ઈડન ગાર્ડનની પીચને પણ એવરેજ જાહેર કરી
આઈસીસીએ કોલકાતાના ઈડન ગાર્ડનની પીચને પણ એવરેજ જાહેર કરી છે જેના પર ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી સેમી ફાઈનલ રમાઈ હતી. આ લો સ્કોરિંગ મેચમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 49.4 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પછી ઓસ્ટ્રેલિયાએ 47.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને જીતી ગયા હતા