ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.) ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, રાજકોટ આયોજિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રાજકોટ માર્ગદર્શિત અને મહર્ષિ વશિષ્ઠ શાળા વિકાસ સંકુલ

Virpur: જિલ્લા કક્ષાનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વિરપુર ખાતે યોજાયું

ખબરી ગુજરાત ગુજરાત

Virpur: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.) ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, રાજકોટ આયોજિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રાજકોટ માર્ગદર્શિત અને મહર્ષિ વશિષ્ઠ શાળા વિકાસ સંકુલ નં. 3 જેતપુર સંચાલિત રાજકોટ જિલ્લા કક્ષાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન (Child Science Exhibition) વર્ષ 2023-24નું બે દિવસીય આયોજન પ્રેરણા સ્કૂલ, મોંઘીબા ગર્લ્સ સ્કૂલ પાસે, શ્રી જલારામજી વિદ્યાલય, વિરપુર ખાતે કરવામાં આવ્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ પ્રદર્શનમાં “સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” મુખ્ય વિષય ઉપર કુલ પાંચ વિભાગોમાં 50 માર્ગદર્શક શિક્ષકો અને 100 જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા 50 કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કૃત્તિ નિદર્શનની સાથોસાથ રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનો વિધિવત શુભારંભ તા. 19 ડિસેમ્બરના રોજ પ્રેરણા સ્કુલના સંચાલક રતિભાઈ જોશી, સુભાષભાઈ જોશી, જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ ડોબરીયા, બાળ વિજ્ઞાન પ્રદર્શનના કન્વીનર વી. ડી. નૈયા, રાજકોટ ડાયેટ વિજ્ઞાન સલાહકાર દિપાલીબેન વડગામા, ડાયેટ પ્રાચાર્ય ડો.સંજયભાઈ મહેતા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મહેશભાઈ ધંધુકિયા, મદદનીશ શિક્ષણ નિરીક્ષક રાવલ, જેતપુર ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યઓ, ચિત્રકાર અને ફોટો જર્નલિસ્ટ ભાટી એન., વિરપુરના પત્રકારો શાળાના શિક્ષકો, વિદ્યાર્થિઓ સહિતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઉલ્લેખનિય છે કે, જ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાન એ કેળવણીનું આધારભૂત અંગ બન્યું છે ત્યારે કેળવણી બાળકોની કૂતુહલ અને જીજ્ઞાસાવૃત્તિ સંતોષવાનું માધ્યમ બની રહે તે હેતુને સિધ્ધ કરવા જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા દર વર્ષે વિવિધ કક્ષાએ બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો: કોલ્‍ડવેવથી બચવા અંગેના ઉપાયો

જિલ્લા-તાલુકા કક્ષાએથી પસંદગી પામેલ રાજકોટ તેમજ જેતપુર તાલુકાનાં પ્રતિભાવંત અને સર્જનશીલ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત પ્રદર્શનને નિહાળવા અને તેઓને નવી ઊર્જા પ્રદાન કરવા તેમજ બિરદાવવા હેતુ જાહેર જનતાને પધારવા જિલ્લા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સમિતિ-જેતપુર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.