અનોખી ગૌસેવા, મુંગા પશુઓને પિરસાયો કેરીનો રસ

ખબરી ગુજરાત ગુજરાત

Vadodara News : વડોદરામાં એક સેવાકીય સંસ્થાની અનોખો સેવાયજ્ઞ જોવા મળ્યો છે. જેમાં હજારો પશુઓ અને દીન દુખીઓને કેરીનો રસ પીરસવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – બૌદ્ધ ધર્મ પરિવર્તન પહેલા સરકારની પૂર્વ મંજૂરી જરૂરી

Vadodara News : વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી નિઃસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજનસેવા પુરી પાડી રહી છે. તાજેતરમાં ફાઉન્ડર નીરવ ઠકકર દ્વારા પાંજરાપોળમાં રખાયેલા પશુઓને કેરીનો રસ જમાડવામાં આવ્યો છે. શ્રવણ સેવા દ્વારા પ્રથમ વખત આટલા મોટા સ્તરે સેંકડો લીટર રસ પશુઓને પીવડાવ્યો છે. પાંજરાપોળમાં ગાય સહિત 2 હજાર જેટલા પશુઓ હાલ આશરો લઈ રહ્યા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

15 દિવસની મહેનતના અંતે સફળતા

શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠકકર જણાવે છે કે, અમારી સંસ્થા દ્વારા કરજણ ખાતે આવેલી પાંજરાપોળમાં રાખવામાં આવેલા ગાયોને ગુણવત્તા સભર કેરીનો રસ જમાડયો છે. આ માટે છેલ્લા 15 દિવસથી અમારી ટીમ તૈયારી કરી રહી હતી. અંતે તાજેતરમાં સફળતા સાંપડી છે. સામાન્ય રીતે હમણાં ફ્રોઝન રસના ઉપયોગનું ચલણ વધુ છે. પરંતુ આપણે સંસ્થાના ઉદ્દેશ્ય અનુસાર તેમની માટે જ કેરીનો રસ તાજો જ કઢાવવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા નિઃસહાય વૃદ્ધોને માટે રોજ ગરમાગરમ જમવાનું બનાવીને પીરસવામાં આવે છે. તે રીતે પશુઓ માટે કેરીનો તાજો રસ કાઢી તેમના સુધી પહોંચાડવાનું પ્લાનિંગ કરાયું હતું.

રસના કુંડ ભરી પિરસાયો કેરીનો રસ

નીરવ ઠકકર જણાવે છે કે, વડોદરાથી ફૂડગ્રેડ કારબા ભરીને 500 કિલો રસ કરજણ લઈ જવામાં આવ્યો હતો. ઉનાળાની ગરમીમાં રસની ઠંડક જળવાઈ રહે તે માટે પીપળામાં બરફ ભરીને લઈ જવામાં આવ્યો હતો. એક કલાકની મુસાફરી બાદ અમે પાંજરાપોળ પહોંચ્યા હતા. ત્યાં મોટી સંખ્યામાં પશુઓને જમાડી શકાય તે રીતનું મોટું કુંડ બનાવામું આવ્યુ છે. જેને સાફ કરીને તેમાં રસ ઠાલવવામાં આવ્યો હતો. જેવી ગાયોને છોડવામાં આવી કે તરત જ દોડીને કુંડ પાસે આવી મજાથી રસ આરોગવામાં માંડી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મોઢા પર સુખદ હાવભાવ જોવા મળ્યા

શ્રવણ ઠકકર જણાવે છે કે, એક પછી એક ગાયોને રસ આરોગવા માટે છોડવામાં આવી હતી. તેમનો વારો પૂરો થતાં જ અન્ય ગાયોનો વારો આવતો હતો. ઠંડો કેરી રસ આરોગીને તેમના મોઢા પર સુખદ હાવભાવ જોવા મળતા હતા. જે મનને ટાઢક આપે તેવા હતા. શ્રવણ સેવા ફાઉન્ડેશન નિઃસહાય વૃદ્ધો, જરૂરિયાતમંદ મહિલાઓ-બાળકો બાદ હવે મૂંગા પશુઓની સેવામાં જોડાઈ રહ્યું છે. સેવકાર્યમાં નિમિત્ત બનવાનો ખૂબ આનંદ છે.