મહાત્મા મંદિર ખાતે યોજાશે “યુવા સાંસદ – 2024”

ખબરી ગુજરાત ગુજરાત

Youth MP – 2024 : આવતી કાલે એટલે કે તારીખ 9 માર્ચના રોજ મહાત્મા મંદિરના કન્વેન્શન સેન્ટર ખાતે યુવા સાંસદ 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – યુદ્ધ લડતાં લડતાં મજબૂત બન્યું ઇઝરાયલ, 4 મહિનામાં તેનો ખજાનો આટલો વધી ગયો

PIC – Social Media

Youth MP – 2024 : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા યુવાઓના ઉત્કર્ષ માટે તેમજ સંસ્કૃતિના સંવર્ધન માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું આવ્યું છે. દેશ જ્યારે વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે ત્યારે સર્વાંગી વિકાસ થાય તે અતિ મહત્વનું છે. વિશ્વમાં ભારત દેશ સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે, ત્યારે આવતી કાલે તા.09મી માર્ચ 2024ને શનિવારના રોજ સવારે 9 કલાકે મહાત્મા મંદિર, કન્વેન્શન સેન્ટર ખાતે “યુવા સાંસદ – 2024” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અન્ય ઉચ્ચ પદાધિકારી અને અધિકારીઓની ઉપસ્થિતીમાં આ “યુવા સાંસદ – 2024” નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજનાર છે. જ્યારે સમાપન સમારોહ સાંજે 5 થી 6 કલાક દરમિયાન ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, સી.આર.પાટીલ સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં થનાર છે.

યુવા સંસદનો હેતુ

આજનો યુવા દેશની આવતીકાલનું ભવિષ્ય છે. ત્યારે યુવા પેઢીમાં સ્વ-શિસ્તની ભાવના, વિવિધ અભિપ્રાયો પ્રત્યેની સહિષ્ણુતા, વિચારોની પ્રામાણિક અભિવ્યક્તિ અને લોકતાંત્રિક જીવનશૈલીના અન્ય ગુણો કેળવાય તેવો આશય આ કાર્યક્રમનાં આયોજન થકી ચરિતાર્થ થશે. આ ઉપરાંત આ કાર્યક્રમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સંસદની પ્રથાઓ અને પ્રક્રિયાઓ, ચર્ચા અને વાદ-વિવાદની તકનીકોથી પણ માહિતગાર થશે. સાથે સાથે તેમનામાં આત્મવિશ્વાસ, નેતૃત્વની ગુણવત્તા અને અસરકારક વક્તૃત્વની કળા અને કૌશલ્યનો પણ વિકાસ થશે.

યુવા સંસદનું આયોજન લોકશાહીના મૂળને મજબૂત કરવાનો, શિસ્તની તંદુરસ્ત ટેવો કેળવવાનો અને યુવાનોને સંસદની પ્રથાઓ અને પ્રક્રિયાઓ વિશે જાણવા માટે સક્ષમ બનાવશે. જેના થકી યુવાનો મોટી સંખ્યામાં રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા સક્ષમ બનશે.

550 જેટલા વિદ્યાર્થીઓ લેશે ભાગ

રાજ્યસરકાર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં રાજ્યની 83 કરતાં વધુ યુનિવર્સિટીનાં નોડલ અધિકારી વિદ્યાર્થીઓને લઈને 8 માર્ચના રોજ ગાંધીનગર ખાતે આવશે. જેમાં સાંસદ તરીકે 550 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. તા. 9 માર્ચના રોજ મહાત્માં મંદિર ખાતે કન્વેન્શનલ હોલમાં સંપૂર્ણ સંસદીય પ્રણાલી અનુસરીને સંસદની કાર્યવાહી શરુ કરવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સૌ પ્રથમ સાંસદોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે. ત્યારબાદ ગૃહમાં અધ્યક્ષ સહિત આશરે કુલ 35 જેટલા વિદ્યાર્થિઓ મંત્રી બનીને ગૃહમાં ચર્ચા કરશે અને પ્રશ્નોના જવાબ આપશે. સમગ્ર કાર્યવાહી એક દિવસમાં કુલ ચાર સેશનમાં કરવામાં આવશે. ઉપરાતં શૂન્ય કાળ, તારાંકીત અને અતારાંકીત પ્રશ્નો સહિત વિવિધ મહત્વના વિષય પર ચર્ચા કરવામાં આવશે. કામગીરી દરમ્યાન પાંચ મહત્વના બીલ પર ચર્ચા થશે અને ચર્ચાને અંતે વોટીંગ પેડના માધ્યમથી મતદાન પણ કરવામાં આવશે.