New Delhi: ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓ સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટે (Supreme Court of India) મોટું પગલું ભર્યું છે. કોર્ટે સાંસદ/ધારાસભ્ય (MPs/MLAs) સામેના ફોજદારી કેસો (Criminal cases) અંગે માર્ગદર્શિકા જારી કરી છે. અને હાઈકોર્ટને તેની દેખરેખ રાખવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે MPs/MLAs સામેના ફોજદારી કેસો અંગે માર્ગદર્શિકા કરી જારી

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Dinesh Rathod, Khabri Gujarat

New Delhi: ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓ સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટે (Supreme Court of India)
મોટું પગલું ભર્યું છે. કોર્ટે સાંસદ/ધારાસભ્ય (MPs/MLAs) સામેના ફોજદારી કેસો (Criminal cases) અંગે માર્ગદર્શિકા જારી કરી છે. અને હાઈકોર્ટને તેની દેખરેખ રાખવા જણાવ્યું છે.

New Delhi: ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓ સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટે (Supreme Court of India) 
મોટું પગલું ભર્યું છે. કોર્ટે સાંસદ/ધારાસભ્ય (MPs/MLAs) સામેના ફોજદારી કેસો (Criminal cases) અંગે માર્ગદર્શિકા જારી કરી છે. અને હાઈકોર્ટને તેની દેખરેખ રાખવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સુઓ મોટુ (Suo Motu) સંજ્ઞાન લેવું જોઈએ અને આવા કેસોની સુનાવણી કરવી જોઈએ, જિલ્લા ન્યાયાધીશે વિશેષ અદાલતના ટ્રાયલ પર દેખરેખ રાખવી જોઈએ. હાઈકોર્ટે સમયાંતરે ટ્રાયલ રિપોર્ટ્સ માંગવા જોઈએ. ઉપરાંત, સાંસદો/ધારાસભ્યોની ટ્રાયલ માટે વધુ વિશેષ અદાલતો હોવી જોઈએ.

કોર્ટે કહ્યું કે અમે વિશેષ અદાલતોમાં દરેક કેસની દેખરેખ રાખી શકતા નથી. મૃત્યુદંડના આરોપોનો સામનો કરી રહેલા સાંસદો/ધારાસભ્યોના કેસોને પ્રાથમિકતા આપવી જોઈએ. ચુકાદો આપતાં CJI DY ચંદ્રચુડે (Chief Justice of India DY Chandrachud) કહ્યું કે દરેક રાજ્ય માટે માર્ગદર્શિકા બનાવવી શક્ય નથી, દરેક રાજ્યમાં સંજોગો અલગ-અલગ હોય છે. સાંસદ/ધારાસભ્ય કોર્ટની દેખરેખ રાખવા માટે અમે તેને હાઈકોર્ટ પર છોડી દઈએ છીએ.

હાઈકોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લેવું જોઈએ અને MP MLA કોર્ટમાં પેન્ડિંગ ફોજદારી કેસોનો ઝડપથી નિકાલ કરવો જોઈએ. આ બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ હોઈ શકે છે. હાઈકોર્ટ જિલ્લા ન્યાયાધીશો પાસે આવા ચાલુ કેસોના અહેવાલો માંગી શકે છે. ટ્રાયલ કોર્ટ તાત્કાલિક કારણો સિવાય સુનાવણી મુલતવી રાખશે નહીં. ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું જોઈએ, એક વેબસાઈટ બનાવવી જોઈએ જેમાં જિલ્લાવાર સ્ટેટસ હોય કે કેટલા કેસ પેન્ડિંગ છે.

આ પણ વાંચો: ચાલો, આ દિવાળીએ આપણાં ઘરમાં ઉજાસ પાથરનારના ઘરનો અંધકાર કરીએ દૂર

સુપ્રીમ કોર્ટ વધુ સુનાવણી કરશે અને ગંભીર ગુનાઓમાં આરોપ ઘડવામાં આવતાની સાથે જ ચૂંટણી લડવા પર પ્રતિબંધની માંગ કરતી અરજી પર આદેશ જારી કરશે. CJI DY ચંદ્રચુડની ખંડપીઠે આ નિર્ણય બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાયની અરજી પર આપ્યો છે. ઉપાધ્યાયે સાંસદ/ધારાસભ્ય વિરુદ્ધ ફોજદારી કેસોની ફાસ્ટ ટ્રેક ટ્રાયલ માટે અરજી દાખલ કરી હતી.