Train tragedy: આંધ્રપ્રદેશ (Andhrapradesh)ના વિજયનગરમ જિલ્લામાં ગઈકાલે સાંજે બે ટ્રેનો અથડાતા 11 લોકોના મોત થયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈસ્ટ કોસ્ટ રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે

રાષ્ટ્રપતિએ ટ્રેન દુર્ઘટનામાં લોકોના મોત પર વ્યક્ત કર્યો શોક, કેન્દ્ર અને રાજ્ય સરકારે કરી સહાયની જાહેરાત

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
File image

Dinesh Rathod, Gujarat, Khabri Media

Train tragedy: આંધ્રપ્રદેશ (Andhrapradesh)ના વિજયનગરમ જિલ્લામાં ગઈકાલે સાંજે બે ટ્રેનો અથડાતા 11 લોકોના મોત થયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈસ્ટ કોસ્ટ રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કનકતાપલ્લી ખાતે પલાસા પેસેન્જર ટ્રેન પાછળથી રાયગડા પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ હતી. જેના કારણે ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઘાયલોને વિશાખાપટ્ટનમ અને વિજયનગરમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Khabri Media WhtasApp channel

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્રેન દુર્ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. એક સંદેશમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે તેમના સંવેદનાઓ અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. વડાપ્રધાન મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રાજ્ય સરકાર અને રેલ્વે ટીમો સંકલનમાં બચાવ કામગીરી કરી રહી છે. રેલ્વે મંત્રીએ મૃત્યુના કિસ્સામાં રૂ. 10 લાખ, ગંભીર ઇજાના કિસ્સામાં રૂ. 2.5 લાખ અને નાના ઇજાગ્રસ્ત મુસાફરને રૂ. 50 હજાર વળતરની માંગણી કરી છે.

આ પણ વાંચો: PM મોદીએ અંબાજી માતાના દર્શન કરી ગુજરાતને આપી કરોડોની ભેટ

તેવી જ રીતે આંધ્રપ્રદેશ સરકારે રાજ્યના મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયા, જ્યારે અન્ય રાજ્યના મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.