World Cupમાં ભારતની જિત માટે કિન્નરોનું અનોખું તપ, જાણો શું કર્યું?

ખબરી ગુજરાત રમતગમત રાષ્ટ્રીય

Jagdish, Khabri Media Gujarat:

World Cup 2023, IND vs AUS : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા વિશ્વકપ 2023ના ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જિત માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે. જો કે હાલ પ્રથમ ઈનિંગમાં બેટિંગ દરમિયાન ભારતની સ્થિતિ નાજુક છે. ત્યારે હવે કિન્નર સમાજ પણ ભારતની જિત માટે પ્રાર્થના કરવામાં પાછળ નથી.

આ પણ વાંચો : વધુ એક બોલિવુડ સ્ટારનો સાપ સાથે વિડિયો વાયરલ, આ વખતે તો…

કિન્નર અખાડાના મહામંડલેશ્વર, યુપી સરકારના કિન્નર કલ્યાણ બોર્ડના સદસ્યો તથા કિન્નરોના પ્રદેશ અધ્યક્ષ કૌશલ્યા નંદ ગિરીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની જીત માટે અખંડ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી છે. તેમજ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ટીમ ઈન્ડિયાની જીત માટે વિશેષ પૂજા અર્ચના કરતા કિન્નરોએ ભગવાન ભોલેનાથ પાસે કામના કરી છે કે વિશ્વ કપ 2023 ભારત જ જીતે.

આ પણ વાંચો : TRB જવાનોની કરવામાં આવશે છટણી, 6400ને કરાશે ફરજ મુક્ત

કૌશલ્યા નંદ ગીરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો, કે વિશ્વ કપ 2023માં ભારતની જીત માટે અખંડ જ્યોત સળગતી રહેશે, જ્યાં સુધી ભારત ટ્રોફી જીતી નહિ લે, ત્યાં સુધી તમામ કિન્નર સમાજ આ પૂજા અર્ચના કરતા રહેશે.

કિન્નર અખાડાના પ્રદેશ અધ્યક્ષ કૌશલ્યા નંદે કહ્યું, કે ઈન્ડિયાએ જે રીતે પાકિસ્તાનને હરાવ્યું હતુ. આ ઓસ્ટ્રેલિયા પાસેથી પણ 20 વર્ષ જુનો બદલો લેવામાં આવશે. પૂજા અર્ચના અને હવન દ્વારા અમે બધાએ ભારતની જીત માટે કામના કરી છે. તેઓએ ભારતીય ટીમના ખેલાડીઓની હિમ્મત વધારવાની પણ કામના કરી છે.