લક્ષદ્વીપ કેવી રીતે બન્યું ભારતનો ભાગ? જાણો, શું છે ઇતિહાસ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Lakshadweep : લક્ષદ્વીપ 36 નાના નાના ટાપુઓનો સમૂહ છે. અહીંની જનસંખ્યા આશરે 70 હજારની આસપાસ છે. ખાસ વાત તો એ છે કે લક્ષદ્વીપનો સાક્ષરતા દર 91.82 ટકા છે. જે ભારતના મેટ્રો સિટી કરતા પણ વધુ છે.

આ પણ વાંચો : ઉદ્યાગકારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

PIC – Social Media

Lakshadweep : પીએમ મોદી (PM Modi)એ હાલમાં જ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. તેના એડવેન્ચરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લક્ષદ્વીપ (Lakshadweep) ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. અહીંનો એરિયા માત્ર 32.6 વર્ગ કિલોમીટર છે.

પીએમ મોદીએ સ્નોર્કલિંગની પોતાની તસવીરો શેર કરતા ભારતીયોને લક્ષદ્વીપ (Lakshadweep)ટાપુની મુલાકાત લેવા અપીલ કરી હતી. તેઓએ કહ્યું, કે જે લોકોને એડવેન્ચર પસંદ છે તેના લિસ્ટમાં લક્ષદ્વીપ ટોપ પર હોવું જોઈએ. આવો અમે આપને લક્ષદ્વીપ ટાપુ વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ. સાથે જ લક્ષદ્વીપ ભારતનો ભાગ કેવી રીતે બન્યું તેની વિશે જાણવાનો પ્રયાસ કરીએ.

96 ટકા મુસ્લિમ વસ્તી

લક્ષદ્વીપ ભારતનો સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ભારતના દક્ષિણ પશ્ચિમ કિનારાથી લક્ષદ્વીપનું અંતર 200થી 440 કિમી છે. લક્ષદ્વીપ કુલ 36 નાના નાના દ્વીપોનો સમૂહ છે. પરંતું અહીં માત્ર 10 ટાપુઓ પર જ લોકોની વસ્તી છે. અહીં 96 ટકા વસ્તી મુસ્લિમ લોકોની છે.

લક્ષદ્વીપની રાજધાની કવરત્તી છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર, લક્ષદ્વીપની જનસંખ્યા કુલ 64773 છે. અહીંનો સાક્ષરતા દર 91.82 ટકા છે. જે ભારતના ઘણાં મેટ્રો સિટી કરતા પણ વધુ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

લક્ષદ્વીપ ટાપુ ભારતનો ભાગ કઈ રીતે બન્યું?

જ્યારે 1947માં ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે 500થી વધુ રજવાડાઓનું એકીકરણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન લિયાકત અલી ખાને પંજાબ, સિંધ, બંગાળ, હજારાને પાકિસ્તાનમાં ભેળવવાનો ખૂબ પ્રયાસ કર્યો. પરંતું લક્ષદ્વીપ પર કોઈની નજર પડી નહિ.

આઝાદી પછી લક્ષદ્વીપ (Lakshadweep) ભારત અને પાકિસ્તાનમાંથી કોઈના પણ અધિકારક્ષેત્રમાં આવતું નહોતું. કેમ કે બંને પહેલાથી જ મુખ્ય વિસ્તારોને પોતાની સાથે જોડવાનો પ્રયત્ન કરતા હતા. ઓગસ્ટના અંતમાં પાકિસ્તાનના લિયાકત અલી ખાને વિચાર્યું કે લક્ષદ્વીપ મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે અને ભારતે હજુ સુધી તેના પર દાવો પણ નથી કર્યો તો આપણે તેના પર અધિકાર કરી લેવો જોઈએ.

ઈતિહાસકારો કહે છે કે તે જ સમયે ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ પણ લક્ષદ્વીપ વિશે વિચારતા હતા. જો કે, બંને દેશો થોડા મૂંઝવણમાં હતા કે શું ત્યાં હજી સુધી કોઈએ દાવો કર્યો છે કે નહીં. આ મૂંઝવણ વચ્ચે પાકિસ્તાને પોતાનું એક યુદ્ધ જહાજ લક્ષદ્વીપ મોકલ્યું હતું. બીજી તરફ સરદાર પટેલે આર્કોટ રામાસ્વામી મુદલિયાર અને આર્કોટ લક્ષ્મણસ્વામી મુદલિયારને લશ્કર સાથે તરત જ લક્ષદ્વીપ તરફ આગળ વધવા કહ્યું.

સરદાર પટેલે નિર્દેશ આપ્યો કે લક્ષદ્વીપ (Lakshadweep)ને જલદી કબજે કરવામાં આવે અને લક્ષદ્વીપમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે. બીજી તરફ પાકિસ્તાની સેના પણ રસ્તામાં હતી. આખરે ભારતીય સેના પ્રથમ લક્ષદ્વીપ પહોંચી અને ત્રિરંગો ફરકાવ્યો. થોડા સમય પછી પાકિસ્તાનનું યુદ્ધ જહાજ પણ ત્યાં પહોંચી ગયું. પરંતુ ભારતના ત્રિરંગા ધ્વજને જોયા બાદ તેઓ શાંતિથી પરત ફર્યા હતા. ત્યારથી લક્ષદ્વીપ ભારતનો અભિન્ન અંગ છે. જો આપણી સેના અડધો કલાક પણ મોડી પડી હોત તો આજે પરિસ્થિતિ જુદી હોત.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

લક્ષદ્વીપ ભારત માટે કેમ મહત્વનું છે?

ભારતની સુરક્ષાના દૃષ્ટિકોણથી લક્ષદ્વીપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ લો ઓફ ધ સી કન્વેન્શન્સ અનુસાર, કોઈપણ દેશનો તેના દરિયાકાંઠાથી 22 કિમી સુધીનો વિસ્તાર તે દેશના અધિકારક્ષેત્રમાં આવે છે. આ કારણે ભારતને 20 હજાર ચોરસ કિલોમીટર સુધીના દરિયામાં વધુ પ્રવેશ મળે છે. અહીંથી હિંદ મહાસાગર અને અરબી સમુદ્ર બંને પર નજર રાખી શકાય છે. તે સૈન્ય અને વ્યવસાયની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે.

ભારતીય નૌકાદળનું બેઝ ‘INS દ્વિપરક્ષક’ રાજધાની કાવારત્તીમાં રહે છે. તે 30 એપ્રિલ 2012 ના રોજ કાર્યરત થયું હતું. ચીનના સતત વધી રહેલા વર્ચસ્વ વચ્ચે ભારત લક્ષદ્વીપ દ્વીપ પર પોતાનું સૈન્ય મથક તૈયાર કરી રહ્યું છે. તેનાથી ચીન અને પાકિસ્તાન તરફથી આવનારા કોઈપણ મોટા ખતરાથી બચી શકાય છે. 2008માં મુંબઈ હુમલા બાદથી સૈન્ય તાકાત વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રથમ કોસ્ટ ગાર્ડ સ્ટેશન વર્ષ 2010માં બનાવવામાં આવ્યું હતું. નેવી બેઝની સ્થાપના 2012માં કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં યોજાશે દેશનો સૌથી મોટો ‘ગ્લોબલ ટ્રેડ શો’

PIC – Social Media

શા માટે લક્ષદ્વીપને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો?

જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યા પછી, ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ સંખ્યા 8 છે. આ આઠમાં લક્ષદ્વીપ પણ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. આઝાદી પછી, 1 નવેમ્બર 1956ના રોજ લક્ષદ્વીપની રચના અલગ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે કરવામાં આવી હતી. પછી તે Laccadive-Minicoy-Aminidivi તરીકે ઓળખાતું હતું. નવું નામ લક્ષદ્વીપ 1 નવેમ્બર 1973ના રોજ આપવામાં આવ્યું હતું.

ભારતના 28 રાજ્યોમાં ચૂંટાયેલી સરકાર છે. રાજ્ય સરકારને તેના વિસ્તારમાં કાયદા બનાવવા અને તેમાં સુધારા કરવાની સંપૂર્ણ સત્તા છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોતાની કોઈ સરકાર નથી. કેન્દ્ર સરકારનું સીધું શાસન છે. કેન્દ્રશાસિત પ્રદેશો ભારતની મુખ્ય ભૂમિથી દૂર છે. તેઓ વસ્તી અને ક્ષેત્રફળમાં પણ ખૂબ નાના છે. આ કારણોસર તેમને રાજ્ય નોંધણી આપી શકાતી નથી. લક્ષદ્વીપને પણ ભૌગોલિક કારણોસર કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો.