ઇઝરાયેલ અને હમાસ (Israel Hamas War) વચ્ચેના અસ્થાયી યુદ્ધવિરામ વચ્ચે બંને પક્ષો દ્વારા કરારની શરતોનું પાલન કરવામાં આવી રહ્યું છે. હમાસ દ્વારા રવિવારે 13 બંધકોને મુક્ત કર્યા પછી 39 વધુ પેલેસ્ટિનીઓને ઇઝરાયેલી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

હમાસ ગાઝામાં યુદ્ધવિરામ લંબાવવા તૈયાર, ઇઝરાયેલે વધુ 39 પેલેસ્ટિનિયન કેદીઓને કર્યા મુક્ત

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

ઇઝરાયેલ અને હમાસ (Israel Hamas War) વચ્ચેના અસ્થાયી યુદ્ધવિરામ વચ્ચે બંને પક્ષો દ્વારા કરારની શરતોનું પાલન કરવામાં આવી રહ્યું છે. હમાસ દ્વારા રવિવારે 13 બંધકોને મુક્ત કર્યા પછી 39 વધુ પેલેસ્ટિનીઓને ઇઝરાયેલી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ઇઝરાયેલી જેલ સેવા કહે છે કે તેણે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ કરારની શરતો હેઠળ વધુ 39 પેલેસ્ટાઇનીઓને મુક્ત કર્યા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટેપ કરો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 7 ઓક્ટોબરના રોજ હમાસના ઈઝરાયેલ પર હુમલા બાદથી 3,200 પેલેસ્ટાઈનીઓને બંદી બનાવવામાં આવ્યા છે. પેલેસ્ટિનિયન પ્રિઝનર્સ સોસાયટીનું કહેવું છે કે ઈઝરાયેલના કબજા હેઠળના વેસ્ટ બેંકમાં સૌથી વધુ સંખ્યામાં પેલેસ્ટિનિયનોની અટકાયત કરવામાં આવી છે. અટકાયતમાં 41 પત્રકારો, 120 મહિલાઓ અને 145થી વધુ બાળકોનો સમાવેશ થાય છે.

ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર, હમાસ ઈઝરાયેલ સાથે ચાર દિવસના યુદ્ધવિરામને લંબાવવાની માંગ કરી રહ્યું છે. હમાસની શરત એ છે કે ઈઝરાયલે મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા જોઈએ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમાસના પ્રવક્તા ઓસામા હમદાને આશા વ્યક્ત કરી છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ગાઝા પટ્ટીમાં યુદ્ધ ખતમ કરવા માટે ઈઝરાયેલ પર દબાણ કરશે. બેરૂતમાં એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા હમદાને કહ્યું, રાષ્ટ્રપતિ બિડેન ગાઝામાં ઈઝરાયેલના હુમલાને રોકી શકે છે. તેની પાસે આવું કરવાની ક્ષમતા છે. યુદ્ધવિરામ લંબાવવાની વાત એ ઉકેલ નથી. એકમાત્ર ઉપાય એ છે કે ગાઝામાં ઈઝરાયેલના આક્રમણને રોકવું અને ઈઝરાયેલને પેલેસ્ટિનિયન લોકો અંગેના આંતરરાષ્ટ્રીય ઠરાવો લાગુ કરવા દબાણ કરવું.

આ પણ વાંચો: અમેરિકાના ઓટ્રીવિલે શહેરમાં ગોળીબાર, પાંચના મોત; સીરિયાના એરપોર્ટ પર ઈઝરાયેલ હુમલો

આ દરમિયાન, ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલની સેનાનું મિશન હજુ પૂર્ણ થયું નથી. અમે ગાઝા પટ્ટીમાં હમાસ દ્વારા બંધક બનાવાયેલા તમામ નાગરિકોની સુરક્ષિત પરત ફરવા માટે કામ કરી રહ્યા છીએ. જ્યાં સુધી તમામ બંધકોને મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી અમારું મિશન ચાલુ રહેશે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.