દ્વારકા : ઘરમાં લાગી ભીષણ આગ, 7 માસની બાળકી સહિત 4ના મોત

ખબરી ગુજરાત ગુજરાત

Dwarka Fire : દ્વારકામાં મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો મોતને ભેટ્યા છે. મૃતકમોમાં પતિ-પત્ની, માતા અને બાળકીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – Fastag KYC : આજે જ પતાવી લો આ કામ, નહિ તો પછતાશો

PIC – Social Media

Dwarka Fire : દેવભૂમિ દ્વારકામાં એક દુખદ ઘટના સામે આવી છે. દ્વારકાના આદિત્ય રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. મૃતકોમાં સાત માસની બાળકીનો પણ સમાવેશ થાય છે. ઘટના રાતે 4 વાગ્યા આસપાસ બનવા પામી હતી. ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગતા 4 લોકોએ ગુગણામણને કારણે જીવ ગુમાવ્યો છે. આગ લાગ્યાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ આગને કાબુમાં લઈ મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સમગ્ર ઘટનાને લઈ ગૂગળી સમાજના લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવ બાદ ગૂગળી સમાજના લોકો દ્વારકા હોસ્પિટલે એકત્ર થયા હતા. હાલ આ ઘટનામાં મૃતકોને હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યાં છે. તેમજ પોલીસે બનાવની વિગત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં પાવન કમલેશ ઉપાધ્યાય ( ઉંમર 30 વર્ષ ), તિથિ પવાન ઉપાધ્યાય (ઉંમર 27 વર્ષ), ધ્યાના (7 માસ), ભામિનીબેન કમલેશભાઈ ઉપાધ્યાય (પાવનના માતા)નો સમાવેશ થાય છે. હાલ આગ કઈ રીતે લાગી તેની પાછળને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.