ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ, રાજ્યના કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એન.વી અંજારીયા

CJI ડી.વાય ચંદ્રચુડનું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ભાવભર્યું સ્વાગત

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: સુપ્રીમ કોર્ટના (Supreme Court of India) મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય વાય. ચંદ્રચુડ (CJI DY Chandrachud)ના હસ્તે આવતીકાલે રાજકોટ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ થશે.

આ સંદર્ભે મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચુડ દિલ્હીથી ગુજરાત તેમના પત્ની કલ્પના દાસ સાથે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે આવી પહોંચ્યા હતા.

જ્યાં તેમનું ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ, રાજ્યના કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એન.વી અંજારીયા, કાયદા વિભાગના

સચિવ પી.એમ.રાવલ, કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને રાજકોટ જિલ્લાના મુખ્ય ન્યાયમૂર્તિ આર.ટી.વાછાણીએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.