ચોટીલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત

ખબરી ગુજરાત ગુજરાત

Accident News : સુરેન્દ્રનગરના ચોટીલા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો – 26 March : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

Accident News : હોળીના તહેવાર નિમિતે અનેક અમંગળ ઘટનાઓ સામે આવી રહી છે. ગઈ કાલે અલગ અલગ જગ્યાએ 8 લોકોના અકાળે મોત થયા છે. ત્યારે ગઇ કાલે રાત્રે ચોટીલા રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત 3 લોકોના મોત થયા છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ અકસ્માતમાં મોતને ભેટનાર લોકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે રાજકોટ-ચોટીના હાઇવે પર આપા ગીગાના ઓટલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે એમ્બ્યુલન્સમાં સવાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ ગમખ્વાર અકસ્માત એમ્બ્યુલન્સ ચાલક વિજય બાવળિયા, દર્દીના સગા પાયલ મકવાણા તેમજ પાયલના માસી ગીતાબેન મિયાત્રાનું મોત થયું છે. એમ્બ્યુલન્સ રાજકોટ તરફ આવી રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. મૃતકોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો