ગુરુકુળમાં પણ આવું થાય છે જાણો સમગ્ર મામલો

ખબરી ગુજરાત બિઝનેસ

રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીએ ગુરુકુળના આનંદ સ્વામીએ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો; ધોરણ 12ના વિદ્યાર્થીએ મારપીટનો આક્ષેપ કર્યો.

મારના કારણે વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. વિદ્યાર્થીને મોઢા, ગરદન અને કાન પર ઈજાઓ થઈ હતી.વિદ્યાર્થીના પિતાએ ન્યાયની માંગ કરી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતા વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

વિદ્યાર્થીના પિતા પોલીસ ફરિયાદ કરશે

વિદ્યાર્થીને ભોજન પીરસવાની ના પાડતા આનંદ સ્વામી વિદ્યાર્થીને માર મારવા આવ્યા હતા અગાઉ પણ વિદ્યાર્થીઓએ મને માર માર્યો હતો પિતાએ આનંદ સ્વામીને ગુરુકુળમાંથી હાંકી કાઢવાની માંગ કરી હતી.

છોકરા એ પપ્પા ને ફોન કરી ને કહ્યું કે “સ્વામી એ મને માર્યું મેં એટલું જ કહ્યું કે હું વધુ નહીં બેસી શકું. કાનમાં માર્યું માથામાં માર્યું. સ્પ્રિંગ મારી બધી જગ્યા એ ઢોર જેવો માર માર્યો. દુશ્મન પણ આવું કામ ના કરે એવું કામ સ્વામી જી એ કર્યું છે. નામ આનંદ સ્વામી જાણવામાં આવ્યું. પિતા પોલીસ ફરિયાદ કરવાની ઈચ્છા ધરાવે છે. “