Rajasthan Accident : રેલવે ટ્રેક પર બસ ખાબકા 4 લોકોના મોત

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Jagdish, Khabri Media Gujarat:

Rajasthan Accident : રાજસ્થાનના દોસામાં મોડી રાત્રે એક ભયંકર દુર્ઘટના સામે આવી હતી. હરિદ્વારથી જયપુર જઈ રહેલી બસ પુલ નીચે ખાબકતા 4 લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે મહિલાઓ સામેલ છે. બીજી બાજુ રેલવે ટ્રેક પર બસ ખબકતા જયપુર-દિલ્હી રૂટની ટ્રેનો રોકવામાં આવી છે. બસ રેલવે ટ્રેક પર ખાબકી હોવાની જાણ થતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો : સાવધાન : દિલ્હી બાદ અમદાવાદની હવા બગડી

PIC – Social Media

દુર્ઘટનાની સુચના મળતા જ રેલવે કન્ટ્રોલ રૂમે તાત્કાલિક જયપુર દિલ્હી રેલમાર્ગના અપ ડાઉન ટ્રેક પર ટ્રેનોની અવરજવર અટકાવી દીધી છે. તેમજ રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતા. દુર્ઘટના બાદ તમામ પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઈ ઘાયલોને બસની બહાર કાઢવામાં આવ્યાં હતા. તેઓએ ઘાયલોને પોલીસ અને એમ્બ્યુલન્સની ગાડીઓમાં હોસ્પિટલ સારવાર અર્થે ખેસેડ્યા હતા. સારવાર દરમિયાન ડોક્ટરોએ બે મહિલાઓ સહિત કુલ ચાર લોકોના મોત થયા હોવાની જાણકારી આપી છે. આશરે 24 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જેમાંથી 5 લોકોની સ્થિતિ ગંભીર હોવાથી તેને જયપુર રિફર કરાયા છે.

આ પણ વાંચો : દિવાળી પહેલા ફેંકો આ વસ્તુ ડસ્ટબીનમાં

પોલીસ અને પ્રશાસનના અધિકારીઓના જણાવ્યાં અનુસાર રાહત અને બચાવકાર્ય પૂર્ણ થયા બાદ ઘટના અંગેની તપાસ શરૂ કરવામાં આવશે. દુર્ઘટના બાદ બચાવકાર્ય માટે ટ્રેન પણ ઘટના સ્થળે પહોંચી છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.