જૂનાગઢમાં રવીવારે યોજાનાર જીપીએસસી વર્ગ-1 અને 2ની પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્‍મક આદેશો જારી કરાયા

Junagadh: જૂનાગઢમાં GPSCની પરીક્ષાને લઈને પ્રતિબંધાત્‍મક આદેશો કરાયા લાગુ

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh: ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્રારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-2 (જા.ક્ર.૪૭/૨૦૨૩-૨૪)ની પ્રાથમિક પરીક્ષા તારીખ 07/01/2024ના રોજ યોજાનાર છે. આ દરમિયાન 08-00થી સાંજના 19-30 કલાક સુધી પરીક્ષા પ્રક્રિયા દરમિયાન નીચે મુજબના કૃત્‍યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ પરીક્ષા કેન્‍દ્રોની આસપાસ 200 મીટર વીસ્‍તારનાં કોઇપણ માર્ગ ઉપર કે ચોકમાં ગલીઓમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠાં થવું નહિં, સરઘસો કાઢવા નહીં, તેમજ સુત્રો પોકારવા નહીં,પરીક્ષા કેન્‍દ્રની આસપાસનાં 200 મીટરના વિસ્‍તારમાં કોપીઇંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વયવસાય કરતા-ઝેરોક્ષ મશીનો ધરાવતા ધંધાર્થીઓ, મશીન ધારકોએ તેમના કોપીંગ મશીન ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્‍તાવેજો કાગળોની નકલો કાઢવી નહીં. ઝેરોક્ષ મશીન બંધ રાખવા.

પરીક્ષામાં રોકાયેલા કેન્‍દ્રના સંચાલકો, ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવેલ છે. તે વોટરમેન, બેલમેન, કે જેઓ સક્ષમ અધિકારીઓ દ્વારા ઓળખ પત્ર આપવામાં આવ્‍યા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તે ચકાસીને જ પ્રવેશ આપવાનો રહેશે.વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ,જાહેર જનતા કે ફરજ પરનાં તમામ પ્રકારનાં સરકારી કર્મચારીઓએ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્‍તુ અથવા ઈલેકટ્રોનિક્સ આઇટમ જેવી કે મોબાઇલ ફોન,પેજર, કેલ્‍ક્યુલેટર,વિગેરે ,પુસ્‍તક, કાપલી, ઝેરોક્ષ નકલો, પરીક્ષા સ્‍થળમાં લઇ જવા નહીં.

અને તેમાં મદદગારી કરવી નહીં પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધીત કામગીરીમાં રોકાયેલ ફરજ પરનાં અધીકૃત માણસો સિવાય કોઇએ પ્રતિબંધીત વિસ્‍તારમાં દાખલ થવુ નહીં,કોઇ પણ ઇસમે કોઇ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી કે કરાવવી નહીં.

આ પણ વાંચો: હેમંત સોરેન બાદ હવે EDએ CMના પ્રેસ સલાહકાર સહિત આ લોકોને સમન્સ પાઠવ્યા

પરીક્ષાર્થી ઉમેદવારોની શાન્‍તી અને લેખન કાર્યમાં અડચણ/ધ્યાનભંગ થાય તેવુ કૃત્ય કરવુ/કરાવવુ નહીં. આ હુકમ પોતાના અંગત ઉપયોગ માટે કોપીઇંગ મશીનનો વપરાશ કરતી વ્‍યકિતઓને તથા ફરજની રૂએ જે કર્મચારીઓને મુકિત આપવામાં આવી હોય, તેવી વ્‍યકિતઓને એકત્રિત થવાની જોગવાઇ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.