હવે મેલેરિયા બની જશે ભૂતકાળ! વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Malaria Research: પશ્ચિમ આફ્રિકન દેશ બુર્કિના ફાસોની હેલ્થ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મેડિકલ એન્ટોમોલૉજી અને પેરાસાઇટોલોજીના વડા અબ્દુલયે ડાયબેટની શોધ દુનિયાને મેલેરિયા જેવા જીવલેણ રોગથી મુક્ત કરી શકે છે. સીએનએનના અહેવાલ મુજબ, ડાયબેટ જે નવી ટેકનિક પર કામ કરી રહ્યાં છે તે મચ્છરોની પ્રજાતિઓને નાબૂદ કરી શકે છે જે મેલેરિયા (Malaria) ફેલાવે છે.

આ પણ વાંચો : આ વ્યક્તિએ સાયકલ પર પુરણપોળી વેંચીને બનાવી કરોડોની કંપની

PIC – Social Media

વૈજ્ઞાનિક અને પ્રોફેસર અબ્દુલયે ડાયબેટને તેમના સંશોધન માટે વિજ્ઞાન અને નવીનતા વ્યવસ્થાપન માટે 2023 ફોલિંગ વોલ્સ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વધુમાં, ડાયાબિટને ફોલિંગ વોલ્સ ફાઉન્ડેશન દ્વારા ‘મેલેરિયાના આનુવંશિક ઉકેલો પર વિશ્વના કેટલાક સૌથી અદ્યતન કાર્યમાં યોગદાન આપવા માટે’ માન્યતા આપવામાં આવી હતી. ધ ફોલિંગ વોલ્સ ફાઉન્ડેશન એક બિન-લાભકારી સંસ્થા છે જે ક્રાંતિકારી વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ડાયબેટના દેશમાં મેલેરિયા (Malaria) મોતનું મુખ્ય કારણ છે. પશ્ચિમ આફ્રિકન દેશના લગભગ તમામ 22 મિલિયન રહેવાસીઓ, ખાસ કરીને બાળકો, આ રોગથી જોખમમાં છે. આફ્રિકા માટે ડબ્લ્યુએચઓ પ્રાદેશિક કાર્યાલયના લેટેસ્ટ ડેટા દર્શાવે છે કે મેલેરિયાને 2021 માં બુર્કિના ફાસોમાં લગભગ 19,000 લોકોના મોત થયા હતા

વિશાળ આફ્રિકન પ્રદેશમાં મલેરિયા મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે. જો કે છેલ્લા ઘણા વર્ષોમાં અપનાવવામાં આવેલા મેલેરિયા (Malaria) નિયંત્રણના પગલાઓએ અસરગ્રસ્ત દેશોમાં મેલેરિયાનો ફેલાવો અને મૃત્યુ ઘટાડવામાં મદદ કરી છે, WHO એ એપ્રિલમાં જણાવ્યું હતું કે, ‘મેલેરિયાના મૃત્યુ અસ્વીકાર્ય રીતે વધારે છે, અને 2015 થી કેસ સતત વધી રહ્યા છે.

CNN મુજબ, WHO ના છેલ્લા પ્રકાશિત આંકડાઓ અનુસાર, 2021 માં વૈશ્વિક સ્તરે મેલેરિયા (Malaria)થી અંદાજિત 619,000 લોકો મોત થયા હતા. આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે તેમાંથી લગભગ 96% મૃત્યુ આફ્રિકામાં થયા છે. જેમાં 80% ટકા ‘5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો’ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ડાયબેટના જણાવ્યા મુજબ, ‘જોકે મચ્છરદાની ખૂબ જ સારું કામ કરી રહી છે… હવે આપણી પાસે મચ્છરોની વિવિધ પ્રજાતિઓમાં વ્યાપક જંતુનાશક પ્રતિકાર છે, ખાસ કરીને જેઓ Malaria ફેલાવે છે. પરંતુ મેલેરિયા નિયંત્રણ ઉપકરણોની શોધ એ આ રોગને દૂર કરવાનો એકમાત્ર રસ્તો છે. તેમણે કહ્યું કે તેઓ આશાવાદી છે કે મેલેરિયા માટે તેમનું વેક્ટર કંટ્રોલ ટૂલ – (‘જીન ડ્રાઈવ ટેક્નોલોજી’ તરીકે ઓળખવામાં આવે છે) – જ્યારે રોલઆઉટ કરવામાં આવશે ત્યારે ‘ગેમ-ચેન્જર’ સાબિત થઈ શકે છે.

મેલેરિયા માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. નર મચ્છર કરડતા નથી અને તેથી મેલેરિયા ફેલાવી શકતા નથી. જીન ડ્રાઈવ સાથે, રોગ વહન કરતી માદા મચ્છરની પ્રજાતિઓને નવી માદા સંતાનો પેદા કરતા અટકાવી શકાય છે. એવું જનીન-સંપાદિત નર દ્વારા થશે જે નપુંસક હશે. ડાયબિટે કહ્યું કે આનાથી માદા મચ્છરોની વસ્તીમાં ઘટાડો થશે અને Malariaનો ફેલાવો અટકશે.

‘જ્યારે (જીન-સંપાદિત) મચ્છરોને ખેતરમાં છોડવામાં આવશે તે સમગ્ર વસ્તીમાં ફેલાશે અને તરત જ મેલેરિયાનું પ્રસારણ અટકાવશે,’ ડાયાબેટે જણાવ્યું હતું કે, જીન ડ્રાઈવ વધુ ટકાઉ અને બજેટ-ફ્રેંડલી મેલેરિયા નિયંત્રણ માટેનો ઉપાય છે.

આ પણ વાંચો : 18 December : જાણો, આજનો ઈતિહાસ

ડાયાબિટે કહ્યું ‘આ ટેક્નોલોજી વિશે સારી વાત એ છે, કે જો તે અપેક્ષા મુજબ કામ કરે છે. તે બજેટ ફ્રેન્ડલી જ નહીં, ટકાઉ પણ હશે અને આફ્રિકાના દૂરના અને દુર્ગમ વિસ્તારોમાં તૈનાત કરી શકાય છે. અમારુ માનવું છે કે એકવાર ટેકનિક તૈયાર થઈ જશે અને અમે તેને જાહેર કરીશું, તેમજ તે અમારી આશા પ્રમાણે કામ કરશે તો તે ગેમ ચેન્જર બની શકે છે.