આજ સુધી તમે શિવજી નો આ ઇતિહાસ નહીં જાણ્યો હોય!

અજબ ગજબ ખબરી ગુજરાત

ભગવાન શિવને વિનાશના દેવતા કહેવામાં આવે છે. ભગવાન શિવ તેમના સૌમ્ય સ્વરૂપ અને ઉગ્ર સ્વરૂપ બંને માટે પ્રખ્યાત છે. શિવને અન્ય દેવતાઓથી અલગ માનવામાં આવે છે. શિવ બ્રહ્માંડના સર્જન, અસ્તિત્વ અને વિનાશના સ્વામી છે. ભગવાન શિવને સંહારના દેવ માનવામાં આવે છે.

જાણો રાખથી શોભતા મહાદેવ સરકારના અનેક પાસા

જીવનના જેટલા પાસા છે એટલા જ શિવના અવિરત પહેલુઓ છે. ઘણા પુરાણો માને છે કે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુની ઉત્પત્તિ શિવમાંથી થઈ છે. જો કે શિવભક્તોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે શિવનો જન્મ કેવી રીતે થયો છે? આજે અમે એ રહસ્ય પરથી પડદો હટાવાનો પ્રયત્ન કરશું. આ લેખમાં તમારી ભક્તિ દુભાય એવી અમારી મંશા નથી લાગણીઓ ને માન છે.

એવું કહેવાય છે કે ભગવાન શિવ સ્વયંભુ છે જેનો અર્થ છે કે તેઓ માનવ શરીરમાંથી જન્મ્યા નથી. જ્યારે કંઈ નહોતું ત્યારે ભગવાન શિવ હતા. વિષ્ણુ પુરાણ અનુસાર, જ્યાં ભગવાન વિષ્ણુનો જન્મ ભગવાન બ્રહ્માની નાભિમાંથી થયો હતો. તે જ સમયે, ભગવાન વિષ્ણુના કપાળના પ્રકાશથી ભગવાન શિવનો જન્મ થયો.

આ પણ વાંચો : 14મી કન્વેન્શન્‍સ ઇન્ડિયા કોન્‍ક્લેવનો સીએમ પટેલે કરાવ્યો પ્રારંભ

શિવ એ સર્જન પ્રક્રિયાના શાશ્વત અને મૂળ સ્ત્રોત છે અને આ કાલ મહાકાલ જ્યોતિષનો આધાર છે. જો કે શિવનો અર્થ કલ્યાણકારી માનવામાં આવે છે, પરંતુ તેમના નિયંત્રણમાં હંમેશા લય અને વિનાશ બંને હોય છે. રાવણ, શનિ, કશ્યપ ઋષિ વગેરે તેમના ભક્ત રહ્યા છે. શિવ દરેકને સમાન રીતે જુએ છે, તેથી જ તેમને મહાદેવ કહેવામાં આવે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો