રાજકોટમાં સગીરા પર દુષ્કર્મના ગુનામાં આરોપી છેલ્લા શ્વાસ સુધી જેલમાં

ખબરી ગુજરાત ગુજરાત

મૂળ કચ્છ જિલ્લાના રાપરના વતની અને હાલ રાજકોટની ભગવતી સોસાયટીમાં રહેતી પરિણીત ગુલશન અલી ઉર્ફે લાલો ગુલામ રસૂલ સમા વિરૂદ્ધ કેસની સુનાવણી કરતા સેશન્સ જજ જે.ડી.સુથારે 15 વર્ષ અને 6 માસની સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન હેઠળની સોસાયટીમાં આરોપીએ અંતિમ શ્વાસ લીધા હતા. સુધીની જેલની સજાનો હુકમ કરાયો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રાજકોટના થોરાળા વિસ્તારની સોસાયટીમાં રહેતી સગીરા પર બળાત્કારની ઘટનામાં 15-7-2022ના રોજ થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે આરોપી ગુલશન અલી ઉર્ફે લાલો ગુલામ રસુલ સામાણીની ધરપકડ કરી હતી.


આ પણ વાંચો – દુર્ઘટનાની વણઝાર : ક્યાંક સ્લેબ ધારાશાયી, તો ક્યાંક ભેખડ ધસી

પોક્સો અદાલતમાં આ કેસ ચાલી જતાં સરકાર તરફે રોકાયેલ સરકારી વકીલ મુકેશભાઈ પીપળિયાએ દલીલ કરેલ કે આરોપી વિરુદ્ધ સમાજ વિરોધી ગુનો છે અને આરોપીએ 15 વર્ષ અને 6 માસની સગીરા પર દુષ્કર્મ આચરેલ છે અને આરોપી 25 વર્ષનો છે અને પરિણીત છે અને અને આવો ગુનો આચરેલ છે. જે દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ સેશન્સ જજ જે.ડી. સુથારે આરોપી ગુલશન અલી ઉર્ફે લાલો રસુલ સમાને અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફરમાવેલ છે તેમજ ભોગ બનનાર સગીરાને રૂપિયા ત્રણ લાખનું વળતર અપાવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને હુકમ કરેલ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો