કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવાસદન

Kutch: કચ્છમાં સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ, જાણો શું છે કારણ

ખબરી ગુજરાત ગુજરાત
Image credit: Freepik

Dinesh Rathod, Gujarat, Khabri media
Kutch (Bhuj): કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવાસદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે આ જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની 100 મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી રેલી, સરઘસ કે રેલી પર મનાઇ ફરમાવેલ છે.

જેથી ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-37(3) મુજબ મિતેશ પંડયા, અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજ દ્વારા આ જાહેરનામા અન્‍વયેનો અમલ તા.08/11/2023 સુધીની મુદત માટે રહેશે. અનધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ વ્‍યક્તિઓ એકી સાથે કોઇપણ જગ્‍યાએ ભેગા થવા, કોઇ મંડળી બનાવી રેલી, સરઘસ, દેખાવો કરવા, કાઢવા કે રેલી સ્વરૂપે એકઠા થઇને આવેદનપત્ર આપવા પર મનાઇ ફરમાવી છે.

આ પણ વાંચો: Junagadh: જૂનાગઢ જિલ્લામાં માર્ચ 2025 સુધીમાં પ્રિપેડ વીજ મીટર લગાવવામાં આવશે

આ જાહેરનામા અન્‍વયે ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્યક્તિઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્‍યકિતઓને, લગ્‍નના વરઘોડા તથા સ્‍મશાનયાત્રાને, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલા ખાસ કિસ્‍સા તરીકે પરવાનગીને, સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનને લાગુ પડશે નહીં.

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર કોઇપણ વ્યક્તિને અધિનિયમની કલમ-135ની પેટા કલમ-3 તથા ભારતીય દંડ સહિતા 1860ના કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.