સરકારે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે દેશમાં CRPF પછી સૌથી વધુ સંખ્યામાં BSF જવાનોએ સ્વૈચ્છિક નિવૃત્તિ પસંદ કરી છે. સરકારે કહ્યું કે

સંસદમાં રજૂ કરાયેલ ડેટાથી થયો ખુલાસો, CRPF પછી BSF જવાનોએ પસંદ કર્યો સ્વૈચ્છિક નિવૃત્તિનો વિકલ્પ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

સરકારે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે દેશમાં CRPF પછી સૌથી વધુ સંખ્યામાં BSF જવાનોએ સ્વૈચ્છિક નિવૃત્તિ પસંદ કરી છે. સરકારે કહ્યું કે ઓછામાં ઓછા 4127 બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનો અને ત્યારબાદ 2572 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોએ વર્ષ 2023માં સ્વૈચ્છિક નિવૃત્તિનો વિકલ્પ પસંદ કર્યો છે. 2022માં 3019 CRPF જવાનોએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

નિત્યાનંદ રાયે રાજ્યસભામાં આપી માહિતી

કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને આસામ રાઇફલ્સ (AR)માં સ્વૈચ્છિક નિવૃત્તિના કેસોની સંખ્યા દર વર્ષે બદલાઈ રહી છે. તેમણે કહ્યું કે આ બાબતે કોઈ વલણ જોવા મળ્યું નથી.

સ્વૈચ્છિક નિવૃત્તિ રોકવા માટે લેવાયેલા પગલાં

નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે સરકારે સ્વૈચ્છિક નિવૃત્તિ મેળવવા માંગતા કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે ઘણા પગલાં લીધા છે જેમ કે કેડર સમીક્ષાનું સમયસર સંચાલન, સુધારેલા ખાતરીપૂર્વકની કારકિર્દી પ્રગતિ લાભો પ્રદાન કરવા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રાજ્યસભામાં રજૂ કરાયેલા ડેટા અનુસાર, 2023માં આસામ રાઈફલ્સના 1280, BSFના 4127, CISFના 596, CRPFના 2572, ITBPના 324 અને SSBના 271 જવાનોએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.

આ પણ વાંચો: ‘એનિમલ’ની સિક્વલ પર બોબી દેઓલે તોડ્યું મૌન, જાણો શું કહ્યું

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે વર્ષ 2022માં 1188 આસામ રાઈફલ્સ, 5341 BSF, 762 CISF, 3019 CRPF, 545 ITBP અને 314 SSBએ સ્વૈચ્છિક નિવૃત્તિનો વિકલ્પ પસંદ કર્યો હતો.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.