Junagadh: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની ઝાંઝેસરી નદીના તટ પર વસેલું 500ની જનસંખ્યા ધરાવતું નાનકડુ એવું ગામ સુખપુર, અને આ ગામ સમાજ માટે માતૃશ્રી કુંવરબેન રામજીભાઈ રામાણી સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જનસમુદાયને સંબોધતા કૃષિ મંત્રી અને

વિસાવદરના સુખપુરમાં સમાજ ભવનનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ

ખબરી ગુજરાત રાજકારણ

Dinesh Rathod, Gujarat, Khabri Media
Junagadh: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની ઝાંઝેસરી નદીના તટ પર વસેલું 500ની જનસંખ્યા ધરાવતું નાનકડુ એવું ગામ સુખપુર, અને આ ગામ સમાજ માટે માતૃશ્રી કુંવરબેન રામજીભાઈ રામાણી સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જનસમુદાયને સંબોધતા કૃષિ મંત્રી અને જુનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સંપ અને સંગઠનથી નાનકડા સુખપુર ગામમાં મોટા ગામને છાજે તેવું પૂર્ણ સુવિધા યુક્ત સમાજ ભવનનું નિર્માણ થયું છે, તે એક પ્રેરણાદાયી બાબત છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

મંત્રીએ જણાવ્યું કે વિકસિત સમાજના નિર્માણ માટે સંગઠિત બનવું શિક્ષિત બનવું સંઘર્ષ માટે તૈયારી રાખવી અને સામાજિક રૂઢિઓ કુરિવાજોને ત્યજીને વિકાસ માટે સદૈવ અગ્રેસર રહેવું એ સાંપ્રત સમયની માંગ છે. રાઘવજીભાઈએ પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન વિસાવદર અને ભેસાણ તાલુકાના જુના સ્મરણોને વાગોળી જણાવ્યું કે આજે સમય બદલાયો છે.

અને રાજ્ય અને રાષ્ટ્ર વિકાસની દિશામાં તેજ ગતિએ આગળ વધી રહ્યા છે, ત્યારે આપણે સૌ સહિયારા ભાવ, સંપથી રાષ્ટ્રના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહીએ અને આપણા ગામ આપણા શહેરને સ્વચ્છ રાખવા આપણે આપણું યોગદાન જોડીએ

આ પ્રસંગે ઉપસ્થિત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયાએ કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાના સંતુલન માટે શિક્ષણ એક આવશ્યક હોવાનું જણાવી, ઉમેર્યું કે સાંપ્રત સમયમાં યુવાનો ધંધા-રોજગાર અને નોકરી માટે ગામડા છોડીને શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે ગામડા ભાંગી રહ્યાં છે.

ગામડામાં માત્ર વડિલો રહે એવુ ઘણી વખત સમાચારોમા સાંભળીએ છીએ, ગામડાને જો બચાવવા હશે તો યુવાનોએ પોતાના શહેરી જીવનમાંથી વ્યસ્તતા વચ્ચે ગામડાઓમાં પોતાનો સમય અને શક્તિ અર્પણ કરવા આગળ આવવું પડશે. યુવાનોને ગામડાઓ બચાવવા ગામડાઓની પ્રવૃત્તિ અને ગામડાના વિકાસ માટે શહેરની સાથે સાથે પોતાની ફરજ પણ ન ભૂલવા અનુરોધ કર્યો હતો.

સરદારધામના સ્થાપક ગગજીભાઈ સુતરીયાએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં સંપ, સહકાર અને ચેતના થકી નાનકડા સુખપુર ગામે જે રીતે સમાજ ભવનનું નિર્માણ કર્યું છે તે અન્ય ગામડાના શ્રેષ્ટીઓએ પ્રેરણા લઈ અને પોતાના વિસ્તારમાં આવું એક સંગઠિત માધ્યમ બને તે દિશામાં કાર્ય કરવા સૌને અપીલ કરી હતી. અને તેમણે સરદાર ધામની થતી પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે મંત્રીના હસ્તે માતૃશ્રી કુંવરબેન રામજીભાઈ રામાણી સમાજ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામાણી પરિવારના વડીલોનું પણ સાલ અને પુષ્પાહારથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગને દીપ પ્રાગટ્યથી ખુલ્લો મૂકી મંત્રી રાઘવજીભાઈ પટેલ વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયા, વિસાવદર ભેસાણ મત વિસ્તારના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી, પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા, અમરેલીના કેળવણીકાર અને ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા, જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ કિરીટભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ રામાણી, હર્ષદભાઈ રીબડીયા, કનુભાઈ ભાલાળા, લલિતભાઇ વસોયા, લલિતભાઇ કગથરા, સહિત મહાનુભાવોના હસ્તે સમાજ ભવનના નિર્માણ માટે યોગદાન આપનાર સમાજના દાતાઓનું શાલ અને મોમેન્ટો અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.

Junagadh: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની ઝાંઝેસરી નદીના તટ પર વસેલું 500ની જનસંખ્યા ધરાવતું નાનકડુ એવું ગામ સુખપુર, અને આ ગામ સમાજ માટે માતૃશ્રી કુંવરબેન રામજીભાઈ રામાણી સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જનસમુદાયને સંબોધતા કૃષિ મંત્રી અને

આ પ્રસંગે કેળવણીકાર જયંતીભાઈ ઠેસિયા, ખોડલધામના ટ્રસ્ટી ગિરીશભાઈ ગજેરા, અગ્રણી ઉદ્યોગપતિ સવજીભાઈ સાવલિયા, મહિલા અગ્રણી જ્યોતિબેન વાછાણી, વિસાવદર તાલુકા પંચાયતના સદસ્ય નીતિનભાઈ કપુરીયા, જિલ્લા પંચાયતના સદસ્ય વિરેન્દ્રભાઈ સાવલિયા, વિપુલભાઈ કાવાણી, ચંદ્રિકાબેન વાડોદરિયા,અગ્રણી હરિભાઈ રીબડીયા, ભરતભાઈ કોટડીયા, ભરત અમિપરા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Junagadh: વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલની જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની જોઈન્ટ મીટ યોજાઈ

કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત આમંત્રિત મહેમાનો અને ગ્રામજનોને ઉદ્યોગપતિ મનસુખભાઈ ડોબરીયાએ શાબ્દિક સ્વાગત કરી આવકાર્ય હતા, કાર્યક્રમના અંતે સુરતના ઉદ્યોગપતિ બીપીનભાઈ રામાણીએ આભાર દર્શન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.પિયુષ વડાલીયા, વિઠ્ઠલભાઈ ભાલીયા સહિત ગામના યુવાનો અને કારોબારી સભ્યોએ રહેમત ઉઠાવી હતી