CBSE બોર્ડનો મોટો નિર્ણય, વર્ષો જૂની પરંપરા પર મૂક્યુ પૂર્ણવિરામ

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

CBSE Board News : બોર્ડે ધોરણ 10 અને 12ના પરિક્ષાર્થીઓ માટે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. આ અંગેની સૂચના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર પોસ્ટ કરવામાં આવી છે. આ મુજબ, વર્ષ 2024 માં CBSE બોર્ડની પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ડિવિજન, રેન્ક અથવા એકંદર ગુણ આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો : પરીક્ષા આપ્યા વગર નોકરીની તક, એર ઇન્ડિયામાં આવી બમ્પર ભરતી

PIC – Social Media

નવી શિક્ષણ નીતિ 2020 લાગુ કરવા માટે શિક્ષણ જગતમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. CBSE બોર્ડના આ પગલાથી બોર્ડના પરિક્ષાર્થીઓ પર પરિણામનું દબાણ ઓછું થશે અને તેઓ વધુ સારી રીતે તૈયારી કરી શકશે.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન 2024માં ધોરણ 10મા અને ધોરણ 12મા ધોરણની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને કોઈ ડિવિજન, રેન્ક અથવા એકંદર ગુણ આપશે નહીં. આ સિવાય બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ધોરણ 10 અને 12માં માર્ક્સની ટકાવારી CBSE દ્વારા ગણવામાં આવશે નહીં. આ સૂચના CBSE બોર્ડના પરીક્ષા નિયંત્રક ડૉ. સંયમ ભારદ્વાજે બહાર પાડી છે.

CBSE બોર્ડના નોટિફિકેશનમાં અન્ય એક મહત્વની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે અનુસાર જો કોઈ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષમાં પાંચ વધી વિષયો પસંદ કર્યા છે. તો શ્રેષ્ઠ પાંચ વિષય નક્કી કરવાનો નિર્ણય વિદ્યાર્થીને એડમિશન આપનાર સંસ્થા કે એડમિશન આપનાર પોતે કરી શકે છે. તેમાં સીબીએસઈ બોર્ડની કોઈ ભુમિકા રહેશે નહિ.

આ પણ વાંચો : અમદાવાદમાં IPS અધિકારીના પત્નીએ જીવન ટૂંકાવ્યું

ક્યારે યોજાશે સીબીએસઈ બોર્ડની પરીક્ષા?

સીબીએસઈ બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ 2024 વચ્ચે યોજાશે. આ અઠવાડિયે સીબીએસઈ બોર્ડ પરીક્ષા ડેટશીટ 2024 જાહેર કરે તેવી શક્યતા છે. તે માટે ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in પર અપડેટ્સ ચેક કરતું રહેવું.