ભોપાલના મંત્રાલય બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી, લોકો અંદર ફસાયા

ખબરી ગુજરાત રાજકારણ

મધ્યપ્રદેશના મંત્રાલયની બિલ્ડીંગમાં શનિવારે સવારે ભીષણ આગ લાગી હતી. વલ્લભ ભવનના પાંચમા માળે આગ લાગી હતી. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ ઓલવવાનું કામ હજુ ચાલુ છે.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મધ્યપ્રદેશના મંત્રાલયની બિલ્ડીંગમાં શનિવારે સવારે ભીષણ આગ લાગી હતી. વલ્લભ ભવનના પાંચમા માળે આગ લાગી હતી. પરંતુ તે સતત ફેલાઈ રહી છે. હજુ પણ આ પર અંકુશ આવ્યો નથી.

જણાવવામાં આવી રહ્યું છે કે આગમાં ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા છે. જૂની ફાઈલો અને કચરાના ઢગલામાં આગ લાગી હોવાનું પણ સામે આવી રહ્યું છે. અંદર પાંચ લોકો ફસાયા હોવાના અહેવાલ છે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ ઓલવવાનું કામ હજુ ચાલુ છે. હાલ ફાયર સેફ્ટી એક્સપર્ટ પંકજ ખરે પણ સ્થળ પર હાજર છે. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશનું સચિવાલય વલ્લભ ભવનમાં આવેલું છે.

આ પણ વાંચો – દુર્ઘટનાની વણઝાર : ક્યાંક સ્લેબ ધારાશાયી, તો ક્યાંક ભેખડ ધસી

હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. તમને જણાવી દઈએ કે, હાલમાં આ બિલ્ડીંગમાં રાજ્યના 4 મંત્રીઓની ઓફિસ છે. સીએમ ઓફિસના કેટલાક અધિકારીઓની ઓફિસ પણ અહીંથી ચાલે છે. અગાઉ સીએમ ઓફિસ પણ આ ફ્લોર પર હતી. હાલ આ બિલ્ડીંગની બાજુમાં આવેલી બિલ્ડીંગમાં સીએમનું કાર્યાલય છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આગ લાગતાની સાથે જ તેઓ તરત જ બિલ્ડિંગમાંથી બહાર આવી ગયા હતા. પરંતુ હજુ પણ કેટલાક લોકો અંદર ફસાયેલા છે. આ આગ કેવી રીતે લાગી તે કોઈને ખબર નથી. પરંતુ આગ લાગતા જ ઈમારતની અંદર કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. ધુમાડાને કારણે કશું દેખાતું ન હોવાથી લોકોને બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી હતી.

તસવીરોમાં જોઈ શકાય છે કે હજુ પણ આગ ઓલવાઈ નથી. જોકે ફાયર બ્રિગેડના કર્મચારીઓ તેમના કામમાં વ્યસ્ત છે. બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકોને બચાવવાની પહેલી પ્રાથમિકતા છે. તેથી ફાયર વિભાગના કર્મચારીઓ અને પોલીસકર્મીઓ તેમને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં અંદર 5 લોકો ફસાયા હોવાના અહેવાલ છે. પરંતુ આ આંકડો હજુ વધી શકે છે. પોલીસે બિલ્ડિંગની આસપાસના લોકોને હટાવ્યા છે.