ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેને કેમ ધર્યું રાજીનામું?

ખબરી ગુજરાત ગુજરાત

તુંવર મુજાહિદ; ગાંધીનગર:

ગુજરાત શિક્ષણ વિભાગમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે ફરજ બજાવતા નિવૃત આઈએએસ અધિકારી એ.જે. શાહે અચાનક જ રાજીનામું આપી દીધુ છે. શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે સતત પાંચ વખત એક્સટેન્શન મળ્યા બાદ તેમણે ટર્મ પૂર્ણ થાય તે પહેલા જ રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે રાજીનામું આપતા તેના રાજીનામું સ્વીકારવાની પ્રક્રિયા હાલ થઈ રહી હોવાથી રાજીનામાની અરજી પેન્ડિંગમાં છે. ઉલ્લેખનીય છે કે સરકારે ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં મહત્વના ફેરફાર કર્યા છે. તેમને બોર્ડમાં નવી પરીક્ષા પદ્ધતિ લાગુ કરી છે, ત્યારે જ બોર્ડના ચેરમેને રાજીનામું આપી દીધુ છે.

આ પણ વાંચો- વધુ એક નકલી અધિકારીની વડોદરામાંથી ધરપકડ; કહેતો કે હું તો PMનો….

એ.જે શાહિ બોર્ડના ચેરમેન તરીકે ઘણા વર્ષોથી ફરજ બજાવી રહ્યાં છે. આઈએએસ અધિકારી એ.જે શાહિ બોર્ડના ચેરમેન તરીકે ઘણા વર્ષોથી ફરજ બજાવી રહ્યાં છે. તેમને નિવૃતિ બાદ પણ એક્સેટેન્શન આપવામાં આવ્યુ હતું. જણાવી દઇએ કે, ટૂંક જ સમયમાં તેમનું પાંચમુ એક્સેટેન્શન પૂર્ણ થવાનુ હતું પરંતુ તે પહેલા જ તેમણે રાજીનામું આપી દીધુ છે. આ રાજીનામાનું તેમણે પારિવારીક કારણ આપ્યું છે.

આ પણ વાંચો- હવે મુકાણો છે માનવતા પર પ્રશ્ન