સુપ્રીમ કોર્ટ (Supreme Court)ને વધુ એક જજ મળશે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે આ અંગે કેન્દ્ર સરકાર (Union Government)ને ભલામણ મોકલી છે.

સુપ્રીમ કોર્ટમાં પહેલીવાર હશે ત્રણ દલિત જજ, વાંચો પૂરી ખબર

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Gujarat Desk: સુપ્રીમ કોર્ટ (Supreme Court)ને વધુ એક જજ મળશે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે આ અંગે કેન્દ્ર સરકાર (Union Government)ને ભલામણ મોકલી છે. કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રસન્ના બી વરાલે (Prasanna B Varale)ની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે. આ નિમણૂક બાદ જસ્ટિસ વરાલે સુપ્રીમ કોર્ટમાં ત્રીજા દલિત જજ હશે. ઉપરાંત, આ નિમણૂક પછી, એવું પ્રથમ વખત બનશે કે સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ દલિત સમુદાયમાંથી હશે.

આ નિર્ણય CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝના કૉલેજિયમનો છે. આ નિમણૂક બાદ સુપ્રીમ કોર્ટમાં જજોની સંપૂર્ણ સંખ્યા 34 જજોની થઈ જશે.

હાલમાં સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ સી ટી રવિકુમાર દલિત છે. જસ્ટિસ ગવઈ દેશના મુખ્ય ન્યાયાધીશ પણ બનશે. જસ્ટિસ બી આર ગવઈ મે થી નવેમ્બર 2025 સુધી ચીફ જસ્ટિસ રહેશે.

કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વરાલે

61 ના જસ્ટિસ વરેલા, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીમાંથી સ્નાતક છે. ઓક્ટોબર 2022 માં, તેમણે કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.