દેશભરમાં 07 ડિસેમ્બરના રોજ ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ (Armed Forces Flag Day)ની ઉજવણી કરવામાં આવે છે. રાજકોટ (Rajkot) જિલ્લામાં પણ આ ઉજવણી અંગેની

Rajkot: સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં 42.45 લાખનું દાન આપનારા દાતાઓનું રાજકોટ કલેકટરે કર્યું સન્માન

ખબરી ગુજરાત ગુજરાત

Dinesh Rathod, Gujarat, Khabri media

Armed Forces Flag Day Fund: દેશભરમાં 07 ડિસેમ્બરના રોજ ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ (Armed Forces Flag Day)ની ઉજવણી કરવામાં આવે છે. રાજકોટ (Rajkot) જિલ્લામાં પણ આ ઉજવણી અંગેની બેઠક કલેકટર (Rajkot Collector) પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. સરકાર દ્વારા વર્ષ 2023-24માં રૂ.25 લાખનો લક્ષ્યાંક અપાયો છે જે પૂર્ણ કરવા દાતાઓને સહકાર આપવા આ બેઠકમાં અનુરોધ કરાયો હતો.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

ગત વર્ષ 2022-23માં સરકાર દ્વારા રૂ.25 લાખનો લક્ષ્યાંક અપાયો હતો. તે સામે રૂ.42.45 લાખનું ઉદાર હાથે દાન દેનારા દાતાઓનું કલેકટર પ્રભવ જોશીએ સન્માન કર્યું હતું.

રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કમાન્ડર પવનકુમારે દાતાઓનો આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર સિપાહીઓ યુદ્ધ સિવાય કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કુદરતી પ્રકોપ, માનવસર્જિત અકસ્માત કે આપદાઓમાં પણ નાગરિકોની સહાયતા માટે ખડે પગે રહી સમાજ અને દેશની અમૂલ્ય સેવા બજાવવામાં અગ્રેસર રહે છે.

વીર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુદ્ધ અને સૈનિક કાર્યવાહીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરાયેલા સૈનિકોના પુનઃર્વસવાટ માટે અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે. આ ભંડોળ એકત્ર કરવાના ઔપચારિક કાર્યક્રમનો આરંભ પ્રતિ વર્ષ સાતમી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે.

દેશભરમાં 07 ડિસેમ્બરના રોજ ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ (Armed Forces Flag Day)ની ઉજવણી કરવામાં આવે છે. રાજકોટ (Rajkot) જિલ્લામાં પણ આ ઉજવણી અંગેની

જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યુ હતું કે સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની આપણી અને સમાજની મોટી જવાબદારી બને છે ત્યારે સૈનિકો પ્રત્યે આત્મીયતા અને સન્માનની લાગણીની અભિવ્યક્તિ કરી તેઓના મનોબળને દ્રઢ કરવાના આ અવસરે ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ ભંડોળમાં યથાયોગ્ય યોગદાન જિલ્લાના પ્રત્યેક નાગરિકોએ આપવું જોઇએ.

આ માટે કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે સમૂહ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, પૂર્વ સૈનિક આરામ ગૃહ, પોલીસ હેડ ક્વાર્ટર સામે, રાજકોટ ફોન નં. 0281-2476825 ખાતે સંપર્ક સાધી શકે છે. દાન ઓનલાઇન પણ કરી શકાશે.

આ પણ વાંચો: Rajouri Encounter Update: ઢાંગરી હુમલાનો માસ્ટરમાઈન્ડ કોરી સહિત બે આતંકી ઠાર

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ખાચર, રાજકોટ ગ્રામ્યના ડીવાય.એસ.પી. હીંગોળદાન રતનુ, અશોકસિંહ ઝાલા, રેખાબેન એ.દુદકિયા, ગજેન્દ્રસિંહ ચાવડા, કિરણભાઈ ભટ્ટી, વિજયભાઈ ખોખર સહિતના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.