JN.1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં પણ ચિંતાની જરૂર નથી : આરોગ્ય મંત્રી

ખબરી ગુજરાત ગુજરાત

રાજ્યમાં કોરોનાના હાલ 66 એક્ટિવ કેસ
રાજ્યમાં JN.1 વેરિયન્ટના 36 કેસ નોંધાયા, જેમાંથી 22 દર્દીઓ સાજા થઇ ગયા, 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ
હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ

Gujarat Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 702 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 6 લોકોના મોત થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ ગુરુવારે જણાવ્યું કે કોરોના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 4,097 થઈ ગઈ છે. ઉપરાતં સબ વેરિયન્ટ JN.1ના દર્દીઓની સંખ્યા પણ 100ને પાર થઈ ગઈ છે.

આ પણ વાંચો : ડમ્પરે ટક્કર મારતા બસમાં લાગી આગ, 12 લોકો જીવતા ભૂંજાયા

PIC – Social Media

દેશમાં JN.1ના કુલ દર્દીઓ

26 ડિસેમ્બરે દેશમાં સબ વેરિયન્ટ, JN.1ના 40 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ દેશમાં JN.1ના કુલ 109 દર્દીઓ થઈ ગયા છે. તેમાંથી ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાન અને તમિલનાડુમાં 4-4 અને તેલંગાણામાં 2 કેસ સામે આવ્યાં છે. સ્વાસ્થ્ય અધિકારીના જણાવ્યાં અનુસાર મોટાભાગના દર્દીઓની ઘર પર જ સારવાર થઈ રહી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાના માધ્યમથી પ્રજાજનોને જણાવ્યું છે કે, કોરોનાના JN.1 વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે.

ક્યા જિલ્લામાં કેટલા કેસ

રાજ્યમાં કોરોનાની તા. 28 ડિસેમ્બરની પરિસ્થિતી સંદર્ભે ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનના 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠા માં 1-1 કેસ એક્ટિવ છે. હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ

JN.1 વેરિયન્ટના 36 કેસ

રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં નોંધાયેલ કોરોના કેસના જીનોમ સિકવન્સિગના રીપોર્ટ તા. 27 ડિસેમ્બરના રોજ મળ્યા હતા. જેમાં 36 કેસ JN.1 વેરિયન્ટના નોંધાયા છે. જે પૈકી 22 દર્દીઓ સાજા થઇ ગયા છે અને હાલ 14 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આમ JN.1 વેરિયન્ટના પોઝીટીવ દર્દીમાંથી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે,રાજ્યમાં 1 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર દરમિયાન કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે. આમ જોતા, કોરોનાનો પ્રવર્તમાન સરેરાશ પોઝીટીવીટી રેટ 0.86 ટકા છે. જેના પરથી તારણ કાઢી શકાય કે હાલ કોરોનાની ધાતકતા ઘણી ઓછી છે પરંતુ લોકોએ અને ખાસ કરીને કોમોર્બિડિટી ઘરાવતા દર્દીઓએ સતર્કતા રાખવી જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે તેના કારણે જ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા હોવા છતા JN.1 વેરિયન્ટના કેસ વધુ છે તેમ મંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યુ હતુ.