આસપાસના 27 જેટલાં ગામડાંઓના નાગરિકોને સરકારની 56 સેવાઓનો લાભ એક જ સ્થળેથી સવારે 9થી 5 વાગ્યા સુધી મળશે

Dhoraji: ધોરાજીના ઝાંઝમેરમાં યોજાશે સેવાસેતુ કાર્યક્રમ

ખબરી ગુજરાત ગુજરાત

Dhoraji News: રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું જળવાય રહે તેમજ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ, તાલુકા કક્ષાએ સરકાર દ્વારા “સેવા સેતુ કાર્યક્રમ” (Sewasetu program) યોજાય છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જેના નવમા તબક્કા અન્વયે તા. 28 ડીસેમ્બર, 2023ને ગુરૂવારના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ઝાંઝમેર ગામે “સેવા સેતુ કાર્યક્રમ”નું અયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ આસપાસના 15 જેટલાં ગામડાંઓના નાગરીકો સવારે 9થી સાંજના 5 કલાક સુધી લઈ શકશે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં ઝાંઝમેર, ફરેણી, તોરણીયા, મોટી પરબડી, નાનીપરબડી, સુપેડી, મોટીવાવડી, નાનીવાવડી, ભુખી, ભોળા, ભોલગામડા, છાડવાવદર, વેગડી, ઉમરકોટ, ભુતવડ એમ કુલ ૧૫ ગામોનો સમાવેશ કરાયો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જેમાં સરકારના 13 જેટલા વિભાગોની વિવિધ 56 યોજનાકીય સેવાઓ એક જ સ્થળે ગ્રામ્ય નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે. અરજદારોને તેમની અરજી તથા સંબંધિત આધાર પુરાવા માટેની તમામ સુવિધા સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો: રાજકોટમાં ધ્‍વનિ પ્રદૂષણ ફેલાવશો તો થશે કાયદેસરની કાર્યવાહી, પ્રતિબંધાત્મક આદેશો થયાં જાહેર

વિવિધ સેવાઓનો લાભ લેવા માટે આધાર પુરાવા સાથે અરજદારે હાજર રહેવાનું રહેશે. અરજદારોની વ્યક્તિગત અરજીઓના યોગ્ય નિકાલ માટે જેતપુર વિસ્તારની વિવિધ કચેરીનાં અધિકારીઓ તેમના પ્રતિનિધિ સાથે હાજર રહેશે. જેનો લાભાર્થીઓએ લાભ લેવા વહીવટીતંત્ર વતી ધોરાજી ગ્રામ્ય મામલતદાર એ.પી. જોશીએ અનુરોધ કર્યો છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.