વિજયાદશમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આરએસએસ દ્વારા દશેરાના અવસરે નાગપુરમાં વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિજયાદશમી રેલીને સંબોધતા સંઘના વડાએ કહ્યું કે ભારતમાં આયોજિત જી-20 સમિટમાં ભાગ લેનારા પ્રતિનિધિઓએ આપણા દેશની વિવિધતામાં એકતાનો અનુભવ કર્યો. તેમણે કહ્યું કે આજે સમસ્યાઓના ઉકેલ માટે વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે.

“સમસ્યાઓના ઉકેલ માટે વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે” – વિજયાદશમી ઉત્સવમાં મોહન ભાગવત

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Dinesh Rathod, Gujarat, Khabri media.

RSS Vijayadashami Utsav 2023: વિજયાદશમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આરએસએસ દ્વારા દશેરાના અવસરે નાગપુરમાં વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિજયાદશમી રેલીને સંબોધતા સંઘના વડાએ કહ્યું કે ભારતમાં આયોજિત જી-20 સમિટમાં ભાગ લેનારા પ્રતિનિધિઓએ આપણા દેશની વિવિધતામાં એકતાનો અનુભવ કર્યો. તેમણે કહ્યું કે આજે સમસ્યાઓના ઉકેલ માટે વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે.

આરએસએસ દ્વારા આયોજિત દશેરા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ હાજરી આપી હતી. બંને નેતાઓ આરએસએસના પોશાકમાં આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આરએસએસના વડા મોહન ભાગવતે વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમમાં આરએસએસના સ્થાપક કેબી હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે ગાયક શંકર મહાદેવન પણ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ સાથે સંઘ દ્વારા આયોજિત વિજયાદશમી પર્વનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: 24 ઓક્ટોબર, કેવું રહેશે તમારું આજનું રાશિફળ?

શંકર મહાદેવને સંઘની પ્રશંસા કરી

મુખ્ય અતિથિ તરીકે શંકર મહાદેવને સરસ્વતી વંદના સાથે રેલીને સંબોધી હતી. તેમણે સંઘ પ્રત્યે તેમની પ્રશંસા વ્યક્ત કરી. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સંગીતકારે કહ્યું કે, જ્યારે હું સ્વયંસેવકોને જોઉં છું, દેશમાં ગમે તે ઘટના હોય, ગમે તે સમસ્યા હોય, જ્યારે જરૂર હોય ત્યારે તેઓ ઉભા રહે છે. અને ચુપચાપ પોતાના દેશ માટે કામ કરે છે. તો જો આપણે કહીએ કે આપણો દેશ એક ગીત છે તો આપણાં સ્વયંસેવકો તેની પાછળની સરગમ છે. જે ગીતને જીવન આપે છે.

નાગપુરમાં આરએસએસનો વિજયાદશમી ઉત્સવ

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આરએસએસના વડા મોહન ભાગવતે સંસ્થાના સ્થાપક કેબી હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે ગાયક-સંગીતકાર શંકર મહાદેવન પણ હાજર હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શંકર મહાદેવન પધાર્યા હતા. આ સાથે RSSના વડા મોહન ભાગવતે પણ ‘શસ્ત્ર પૂજા’ કરી હતી. વિજયાદશમીના અવસર પર RSSએ ‘પથ સંચલન’ એટલે કે રૂટ માર્ચનું પણ આયોજન કર્યું હતું.