ખેડૂત આંદોલનની 10 મુખ્ય બાબતો, કેમ ઉગ્ર બન્યાં ખેડૂતો?

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Farmers Protest : દિલ્હી, નોઇડા અને ગુરુગ્રામમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી મેટ્રોના કેટલાય સ્ટેશનો પર ગેટ બંધ કરી દેવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : જાણો, PMJAY યોજના હેઠળ કેટલી સહાચ ચૂકવાઇ

PIC – Social media

Farmers Protest : ટ્રેક્ટર અને ટ્રોલીથી ખેડૂતો દિલ્હી પરથી આગળ વધી રહ્યાં છે. શંભૂ બોર્ડર પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યાં છે. દિલ્હીથી લગતી તમામ બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. દિલ્હીથી હરિયાણા જતા રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે હરિયાણાથી દિલ્હી તરફ આવતા રસ્તાઓ પણ થોડીવારમાં સીલ કરી દેવાશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ખેડૂતોના વિરોધને લઈને અત્યાર સુધીની 10 મોટી બાબતો

દિલ્હીમાં કલમ 144 લાગુ છે. સિંઘુ, ટિકરી, ગાઝીપુર અને શંભુ સરહદોને સંપૂર્ણપણે કેન્ટોનમેન્ટમાં ફેરવી દેવામાં આવી છે.
દિલ્હી, નોઈડા અને ગુરુગ્રામમાં ઘણી જગ્યાએ લાંબો ટ્રાફિક જામ છે અને સામાન્ય લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
દિલ્હી મેટ્રોના ઘણા સ્ટેશનો પર ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે.
MSP ગેરંટી સહિતની અનેક માંગણીઓ પર ખેડૂતો સંપૂર્ણપણે અડગ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અમે નહીં પણ સરકારે રસ્તો રોક્યો છે.
ખેડૂત આગેવાનો કહે છે કે અમારે સંઘર્ષ નથી જોઈતો. અમે શાંતિપૂર્ણ આંદોલનના પક્ષમાં છીએ. કેન્દ્ર સરકાર અમારી માંગણીઓ પ્રત્યે બિલકુલ ગંભીર નથી.
ખેડૂત આગેવાનો કહે છે કે અમે ખેડૂતો અનાજ ઉગાડે છે અને સરકાર ખીલીઓ પાથરવાનું કામ કરી રહી છે. અમે ડંડા લાકડીઓ અને ગોળીઓનો સામનો કરવા તૈયાર છીએ. સરકાર માત્ર દાવો કરે છે કે તેમને ખેડૂતોની ચિંતા છે પરંતુ એવું બિલકુલ નથી.
બીજી તરફ ખેડૂતોના વિરોધને જોતા દિલ્હી સરકારે બવાના સ્ટેડિયમને જેલમાં બદલવાના કેન્દ્રના પ્રસ્તાવને ફગાવી દીધો છે.
દિલ્હી-NCR બોર્ડર પર લગભગ 18 હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની સાથે રેપિડ એક્શન ફોર્સ, CISF, BSFના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
સુરક્ષા દળોના જવાનો ડ્રોન દ્વારા પણ નજર રાખી રહ્યા છે. સરહદ પર સીસીટીવી કેમેરા લગાવીને પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ખેડૂતોની મુખ્ય માંગણીઓ શું છે?

વિરોધ કરી રહેલા ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં તેઓ પાક માટે MSPની ગેરંટી આપવા માટે કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે. આ સાથે ખેડૂત વિદ્યુત અધિનિયમ-2020ને રદ્દ કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત લખીમપુર ખેરીમાં માર્યા ગયેલા ખેડૂતો માટે વળતરની માંગણી સાથે ખેડૂતોના આંદોલન દરમિયાન દાખલ કરાયેલા કેસને પરત ખેંચવાની પણ માંગ કરવામાં આવી છે.

સરકારનું જડ વલણ ખતરનાક સાબિત થઈ શકે – નરેશ ટિકૈત

ભારતીય કિસાન યુનિયન (BKU) ના પ્રમુખ નરેશ ટિકૈતે મંગળવારે જણાવ્યું હતું કે કેન્દ્રએ ખેડૂતો સાથે વાત કરવી જોઈએ અને આરોપ મૂક્યો છે કે સરકારનું “જડ વલણ” ખતરનાક સાબિત થઈ શકે છે. આશ્ચર્ય વ્યક્ત કરતા ખેડૂત નેતાએ પૂછ્યું કે શું ખેડૂતો હંમેશા આંદોલન કરતા રહેશે, રસ્તા રોકશે અને દિલ્હી સુધી કૂચ કરશે?