Iscon Bridge Accident : પ્રજ્ઞેશ પટેલને મળ્યાં શરતી જામીન

ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે ગાડી હંકારી 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટ તરફથી શરતી જામીન મળ્યાં છે. આ પહેલા કેન્સરની સારવાર માટે પ્રજ્ઞેશ પટેલ સેસન્સ અને હાઈકોર્ટમાં જામીન માંગી ચૂક્યો હતો, પરંતું કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.

आगे पढ़ें