દેવી દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન છે. પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ જીવન શક્તિની સ્થાપના કે દેવી દેવતાઓમાં પ્રાણ પૂરવા એવો થાય છે.
પ્રાણ પ્રતિષ્ઠામાં મંત્ર ઉચ્ચારણ અને ભજનનો પાઠ કરીને મૂર્તિને પહેલીવાર સ્થાપિત કરવામાં આવે છે.
આવો આજે અમે આપને જણાવીએ કે પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મૂર્તિને નિર્જીવ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે પ્રતિષ્ઠા બાદ મૂર્તિમાં શક્તિનો સંચાર થાય છે.