ભારતના રહસ્યમય મંદિરો

ભારતમાં ઘણા પ્રાચીન મંદિરો છે જેનું વિશેષ મહત્વ છે. તેમાંથી કેટલાક મંદિરો ખૂબ જ ચમત્કારી અને રહસ્યમય છે.

આવો તમને ભારતના એવા રહસ્યમય મંદિર વિશે જણાવીએ જેનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ આજ સુધી ઉકેલી શક્યા નથી.

માં કામાખ્યા દેવીનું મંદિર આસામની રાજધાની ગુવાહાટી પાસે આવેલું છે. આ ચમત્કારિક મંદિરનો 51 શક્તિપીઠોમાં સમાવેશ થાય છે.

માં કામાખ્યા દેવી મંદિર

અહીં હંમેશા પથ્થરમાંથી પાણી નીકળે છે. એવું કહેવાય છે કે મહિનામાં એકવાર આ પથ્થરમાંથી લોહીની ધારા વહે છે.

માં કામાખ્યા દેવી મંદિર

જ્વાળા દેવીનું પ્રસિદ્ધ જ્વાળામુખી મંદિર હિમાચલ પ્રદેશની કાલીધર પહાડીઓની વચ્ચે આવેલું છે. 

જ્વાળામુખી મંદિર

જ્વાળામુખી મંદિરમાં પૃથ્વીમાંથી જ્યોત નીકળે છે. આ જ્યોત નવ રંગની છે. અહીં નવ રંગોમાંથી નીકળતી જ્વાળાઓને દેવી શક્તિના નવ સ્વરૂપ માનવામાં આવે છે. 

જ્વાળામુખી મંદિર

કરણી માતાનું મંદિર રાજસ્થાનના બિકાનેર જિલ્લાના દેશનોકમાં આવેલું છે. તે ઉંદરોની માતાના મંદિર તરીકે દેશભરમાં પ્રખ્યાત છે.

કરણી માતાનું મંદિર

મંદિરમાં ઉંદરોની સંખ્યા એટલી બધી છે કે લોકો પગ ઉપાડીને ચાલી શકતા નથી. રહસ્યની વાત તો એ છે કે મંદિરની બહાર એક પણ ઉંદર જોવા મળતો નથી.

કરણી માતાનું મંદિર

મહેંદીપુર બાલાજી મંદિર રાજસ્થાનના દૌસા જિલ્લામાં આવેલું છે. આ મંદિર હનુમાનજીની 10 મુખ્ય સિદ્ધપીઠોમાં સામેલ છે.

મહેંદીપુર બાલાજી મંદિર

જે લોકો પર ભૂત-પ્રેત અને દુષ્ટ આત્માઓનો છાંયા હોય તેને આ મંદિરમાં આવતાની સાથે જ દુષ્ટ આત્માઓ અને ભૂત પ્રેતથી મુક્તિ મળે છે

મહેંદીપુર બાલાજી મંદિર

ભગવાન કાલ ભૈરવનું પ્રાચીન મંદિર ઉજ્જૈન, મધ્યપ્રદેશમાં આવેલું છે. ભક્તો ભગવાન કાલભૈરવને માત્ર દારુ અર્પણ કરે છે.

કાલ ભૈરવ મંદિર

સૌથી આશ્ચર્યની વાત એ છે કે કાલ ભૈરવની મૂર્તિના મોં પાસે દારૂનો પ્યાલો મૂકતા જ તે ક્ષણભરમાં ગાયબ થઈ જાય છે.

શિવલિંગ પર જળ કેમ ચડાવવું?