UP Accident : બંધ બસ પાછળ ટ્રક ઘૂસી ગઈ, 6 લોકોના મોત

Spread the love

Jagdish, Khabri Media Gujarat

UP Accident : ઉત્તર પ્રદેશના ગોરખપરમાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. ગોરખપુર-કુશીનગર હાઇવે પર ઊભેલી બસને પાછળથી આવતા ટ્રકે જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ અને અધિકારઓ ઘટના સ્થળે પહોંચી ઘાયલોનું રેસ્કયુ કરી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે.

આ પણ વાંચો : Junagadh : ખાનગી કંપનીમાં કામ કરતા યુવાને કર્યો આપઘાત

PIC – Social Media

મળતી માહિતી અનુસાર, દુર્ઘટના મોડી રાતે 1 વાગ્યે સર્જાય હોવાનું જણાવાય રહ્યું છે. ગોરખપુર-કુશીનગર હાઇવે પર 30 મુસાફરોને લઈ બસ કુશીનગર જઈ રહી હતી. તે દરમિયાન હાઈવે પર બસના એક ટાયરમાં પંચર થઈ ગયું. ત્યાર બાદ ડ્રાઇવરે બસને હાઇવેની સાઇડમાં ઊભી રાખી દીધી હતી અને બીજી બસમાં મુસાફરોને બેસાડી રહ્યાં હતા. તે દરમિયાન જ પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે બસને જોરદાર ટક્કર મારી હતી. દુર્ઘટનાને લઈ હાઇવે પર મોતની ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી.

આ પણ વાંચો : દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા માટે 2 શુભ સમય છે, તમારા માટે કયો સમય યોગ્ય રહેશે? અહીં જુઓ

એક સ્થાનિક મીડિયા અનુસાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ 3 લોકોના મોત થયા હતા.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.