સહારા ગ્રુપના ચેરમેન સુબ્રત રોય સહારાનું 75 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને

નથી રહ્યા ‘સહારશ્રી’ 75 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Spread the love

Dinesh Rathod, Gujarat, Khabri media
Subrata Roy Sahara Passes Away: સહારા ગ્રુપના ચેરમેન સુબ્રત રોય સહારાનું 75 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

મંગળવારે મોડી સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને બુધવારે (15 નવેમ્બર) યુપીમાં તેમના હોમ ડિસ્ટ્રિક્ટ લખનૌ લાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પર સુબ્રત રોયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: Tiger 3 એ ત્રીજા દિવસે મચાવ્યો હાહાકાર, કરી કરોડોમાં કમા

સુબ્રત રોયનો જન્મ 10 જૂન 1948ના રોજ થયો હતો. તેઓ દેશમાં સહારા શ્રી તરીકે પ્રખ્યાત હતા. જાન્યુઆરી મહિનામાં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમની મગજની સર્જરી થઈ હતી.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.