મુખ્તાર અંસારીનું મોત અમારા માટે હોળી, જાણો કોણે કહ્યું આવું?

Spread the love

Mukhtar Ansari Death : બીજેપીના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની નવેમ્બર 2005માં ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. અદાલતે આ હત્યા કેસમાં અંસારીને 10 વર્ષની કેદની સંજા સંભળાવી હતી.

આ પણ વાંચો – દક્ષિણ આફ્રિકામાં પુલ પરથી ખાબકી બસ, 45 લોકોના મોત

PIC – Social Media

Mukhtar Ansari Death : ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા અને બાદમાં રાજકારણી બનેલા મુખ્તાર અંસારીનું અવસાન થયું છે. ગુરુવારે રાત્રે, બાંદા જેલમાં બંધ મુખ્તારની તબિયત અચાનક બગડી હતી, ત્યારબાદ તેને બાંદા મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા. જો કે, મુખ્તારનું અહીં હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું હતું. 2005માં ઉત્તર પ્રદેશમાં ભાજપના તત્કાલિન ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યામાં મુખ્તાર અન્સારીનું નામ સામેલ હતું. હવે કૃષ્ણાનંદ રાયની પત્ની અલકા રાયે પણ મુખ્તાર અંસારીના નિધન પર નિવેદન જાહેર કર્યું છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યું.

આજે અમારા માટે હોળી છે- અલકા રાય

મુખ્તાર અંસારીના નિધન પર ભાજપના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની પત્ની અલકા રાયનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે આ મામલે કહ્યું- હું શું કહું? આ ભગવાનનો આશીર્વાદ છે. હું તેમને ન્યાય માટે પ્રાર્થના કરતી હતી અને આજે મને ન્યાય મળ્યો છે. આ ઘટના (હત્યા) પછી અમે ક્યારેય હોળીની ઉજવણી કરી નથી. મને લાગ્યું કે આજે આપણા માટે હોળી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પુત્રનું નિવેદન પણ આવ્યું

મુખ્તાર અંસારીના હાથે માર્યા ગયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયના પુત્ર પીયૂષ રાયે પણ મુખ્તાર અંસારીના મોત પર નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં પિયુષ રાયે કહ્યું છે કે મને અને મારી માતાને બાબા વિશ્વનાથ અને બાબા ગોરખનાથના આશીર્વાદ મળ્યા છે. તમને જણાવી દઈએ કે 29 એપ્રિલ, 2023ના રોજ ગાઝીપુરની સાંસદ/ધારાસભ્ય કોર્ટે બીજેપી ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં અંસારીને 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કૃષ્ણાનંદ રાયની હત્યા કેવી રીતે થઈ?

ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની નવેમ્બર 2005માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લગભગ અડધો ડઝન બદમાશોએ બીજેપી ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય અને તેના અન્ય છ સહયોગીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોએ 6 એકે-47 રાઈફલ્સમાંથી 400થી વધુ ગોળીઓ ચલાવી હતી. આ હુમલાના મુખ્ય સાક્ષી શશિકાંત રાય 2006માં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેણે મુખ્તાર અંસારી અને મુન્ના બજરંગી પર કૃષ્ણાનંદ રાયના કાફલા પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ હત્યાકાંડે યુપીના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો.